Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 140
________________ બિક પ્રવચને : ૧૫ (૨૩૧) જે મનુષ્યના જીવનમાં કેન્દ્ર સ્થાને પૈસા હોય તે મનુષ્યમાંથી માનવતા-ધામિક્તા વિદાય લે એમાં નવાઈ શું ? (૨૨) આસક્તિ કરાવે તેવું ખાવું-પીવું નહિ. (૨૩૩) ગુણથી મળતી મોટાઈ એ જ સાચી છે, પૈસાથી કે સત્તાથી મળની મોટાઈ એ કૃત્રિમ અને ક્ષણજીવી છે. (૨૩૪) કોઈને વચન આપીને ફરી ન જાવ. (૨૩૫) તમારો વ્યવહાર સરળ રાખે. (૨૩૬) તમારો ખેરાક પહેરવેશ સાદે રાખે. (૨૩૭) કોઈને પણ વિશ્વાસઘાત ન કરશે. (૨૩૮) તમારા દેવનું, ગુરુનું, ધર્મનું, કુળનું ગૌરવ વધે એવાં કામ કરે. (૩૯) વેપાર કરતાં ધર્મને સાથે રાખો. (૨૪૦) મન જ્ઞાનથી શુદ્ધ થાય છે, વાણી સત્યથી શુદ્ધ થાય છે, કાયા ગુરુસેવાથી શુ થાય છે. (જીવનમાં પાપ જાણતાં-અજાણતાં થઈ ગયાં હોય તે કોઈ જ્ઞાની ગંભીર ગુરુ પાસે જઈને તમારાં પાપ ખુલ્લા હદયે કહી પાપનું પ્રાયશ્ચિત કરી લેજે. કોઈ પણ ૫ પને છુપાવશે નહિ. (૨૪૨) જગડુશાહે દુષ્કાળમાં ૧૨૦૦ દાનશાળાઓ ખોલી હતી. પણ કેઈ દાનશાળા ઉપર પોતાનું નામ લખ્યું નહોતું. • (૨૪૩) માબાપે જાતે સાદું જીવન જીવે અને બાળકોને સાદું જીવન જીવતાં શીખવે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144