Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 70
________________ પ૯ જેને ઘેર દોલત ને જુહુલતાંતાં વહાણ, તે સાથે જગમાં મેળવેલું માન. વલી ધરમીપણામાં ગણાએલા પુરા, દયાદાનમાં કવચીત નોહતા અધૂરા; તેવા નરને તાંહાં નહિ એકે ચેરાગ; જમાનાનો એ તો કેવો વેરાગ? ગયા તારે દોલત ને બેટો મૂકી, જમાનાની ગીરસે દીધો ફૂંકી. વઊંસમાં હવે કોઈ રહેઊં નહિ, - કિરતી જ તેનાંની દીપતી રહી. સખાવતમાં કામો જે કરતો રહેશે, મરણ પછે સઉ તેને વહુવા કહેશે.” મહાકાવ્યના નાયક સમા શેઠ મોતીશાહ એ જમાનામાં શેઠ મોતીશાહે કમાણીનાં પચીસેક વર્ષોમાં પાંજરાપોળ અને જીવદયા મંડળી, ચિંતામણિ પાર્શ્વનાથ, ગોડીજી પાર્શ્વનાથ, પાયધુનીમાં શાંતિનાથનું અને આદીશ્વરનું તેમજ કોટનું શાંતિનાથનું દેરાસર અને ભાયખલાનું દેરાસર, પાલિતાણામાં ધર્મશાળા, શત્રુંજય ઉપર મોતી વસહીની ટૂક વગેરે કાર્યો માટે અઠ્ઠાવીસ લાખથી વધુ રૂપિયા ખર્યા હતા. આ ઉપરાંત ગામ-પરગામનાં નાનાંમોટાં જિનમંદિરો બંધાવવા માટેની અને અનેક વ્યક્તિઓને કરેલી અંગત મદદની રકમો તો જુદી. અનેક લોકોનાં દેવાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72