Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 230
________________ વૈક્રિય ૬નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો? એ પ્રશ્નનો આવો જવાબ આપવામાં આવે છે કે જઘન્યમાં ખૂટતો Pla ઉમેરી દેવાથી એ આવે છે. એટલે કે અસંક્ષીની સ્થિતિબંધ જઘન્ય 9 – Pla અને ઉત્કૃષ્ટ 9 સાગરોપમ હોય છે). આ રીતનો અર્થ કરવામાં નીચેના પ્રશ્નો ઊભા થાય છે. (૧) અસંજ્ઞીજીવોને PIs જેટલા સ્થિતિસ્થાનો હોય છે તેમજ એ, એકેન્દ્રિય કરતાં અસંખ્ય ગુણ અને બેઇન્દ્રિય વગેરે કરતાં સંખ્યાતગુણ હોય છે. પંચસંગ્રહકારે જ કહેલી આ વાત સાથે પૂર્વાપરવિરોધ થશે. (૨) અસંજ્ઞીમાં વૈક્રિયષક સિવાયમાં, ઉત્કૃષ્ટસ્થિતિને ૭૦ કોડા કોડીએ ભાગી ૧00 વડે ગુણવાથી જઘન્ય આવે છે અને એમાં PIs ઉમેરવાથી એની ઉત્કૃષ્ટ આવે છે તો વૈક્રિયષક માટે આવું કેમ કે ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોડા કોડીએ ભાગી ૧૦૦૦ વડે ગુણવાથી ઉત્કૃષ્ટ આવે અને એમાંથી Pla બાદ કરવાથી એનો જઘન્ય આવે ? અન્ય પ્રવૃતિઓ કરતાં વૈક્રિયષક માટે આ વિલક્ષણતા છે કે એના જઘન્ય સ્થિતિબંધ માટે હજારે ગુણવાનું છે ને એનું કારણ ગ્રન્થકારે બતાવ્યું છે તેમ જ 'Pla બાદ કરવાથી જઘન્ય આવે’ આવી વિલક્ષણતા પણ એમાં હોય તો ગ્રન્થકાર એનું કારણ પણ કેમ ન બતાવે ? (૩) વળી કર્મપ્રકૃતિ વગેરે સાથે તો વિરોધ ઊભો થાય છે જ. ગ્રન્થકારના પોતાના જ પૂર્વાપર વચનોનો વિરોધ વગેરે આ દોષોનો પરિહાર પંચસંગ્રહમૂળના જ વચનો પરથી પણ જો શક્ય હોય તો કરવો જોઈએ એવી ગણતરીથી હવે આ ૪૯મી ગાથાની જરા જુદી રીતે વ્યાખ્યા વિચારીએ. ૪૮મી ગાથાનો ઉત્તરાર્ધ આવો છે કે ફેસબુક્કોસમો મિ9ત્તક ગં નä I ૪૮ ! ૪૮મી ગાથાના આ ઉત્તરાર્ધથી શેષપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધની પ્રરૂપણા ચાલુ થાય છે. પણ એ પ્રરૂપણા એ ગાથામાં જ પૂર્ણ થઈ ગઈ નથી, કિન્તુ આગળની ૪૯મી ગાથામાં પણ આગળ ચાલે છે. અને ૪૯મી ગાથામાં પતિયાસંવંસૂ' જે પદ રહ્યું છે તેનો અન્વય પણ આમાં કરવો જોઈએ. એટલે કે શેષ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિથી ભાગવાથી જે જવાબ આવે તેને પલ્યોપમના અસંખ્યમા ભાગથી ન્યૂન કરીએ જસ્થિતિબંધ ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236