Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 229
________________ પલ્યોપમના સંખ્યાતમા ભાગે નહીં. અને તેથી ૫૪મી ગાથામાં બેઇન્દ્રિય વગેરે માટે જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s અધિક હોય છે એવું જે કહ્યું છે તેનો વિરોધ સ્પષ્ટ છે. શંકા ઃ ૫૪મી ગાથામાં ‘ના સન્ની’ જે પદ છે તેમાં પ્રાકૃતભાષા હોવાથી જેમ ‘અ’ કારપ્રશ્ર્લેષ કરી અસંજ્ઞી અર્થ લેવોનો છે તેમ ‘સેસાળ સંવમાહિયમ’ એવું જે કહ્યું છે તેમાં પણ ‘અ’ કાર પ્રશ્ર્લેષ કરી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક એવો અર્થ કરી શકાય છે, અને તો પછી તમે બતાવેલ વિરોધ નહીં આવે. સમાધાન ઃ પ્રાકૃતભાષા હોવાથી એ રીતે ‘અ’ કારપ્રશ્ર્લેષ કરી શકાય છે. પણ તો પછી એ ગાથા જ અસંગત બની જશે. કારણકે એકેન્દ્રિય માટે તો પલ્યોપમનો અસંખ્યમો ભાગ અધિક કહ્યું છે. હવે બેઇન્દ્રિય વગેરે માટે પણ જો અસંખ્યમો ભાગ જ અધિક કહેવાનું હોય તો ‘અ’ કાર પ્રશ્લેષની આવશ્યકતાવાળો ‘સંભ્રમદિય’ એવો પૃથગ્ ઉલ્લેખ ન કરતાં ‘વમેવ ૩’ એવું જ કંઈક કહી દેત. માટે ત્યાં ‘અ’ કારપ્રશ્ર્લેષ કરવો યોગ્ય નથી. અને તેથી બેઇન્દ્રિય વગેરેમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s અધિક છે એવો અર્થ પૂર્વાપર અવિરુદ્ધ હોવાથી ૫૫મી ગાથાનો પણ પૂર્વાપર અવિરુદ્ધ દર્શિત અર્થ કરવો ઉચિત છે. આમ, બેઇન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો માટે બંધાતી ઉત્કૃષ્ટ કરતાં જઘન્ય સ્થિતિ P/s જેટલી ઓછી છે એમ નિશ્ચિત થયું. હવે પંચસંગ્રહની પાંચમા દ્વારની ૪૯મી ગાથાનો અર્થ વિચારીએ - वेव्विछक्कि तं सहसताडियं जं असन्निणो तेसिं । पलियासंखंसूणं ठिई अबाहूणियनिगो ॥ ४९ ॥ ‘મિત્ત્તત્તતિપ્ નું નવું’ એટલી પૂર્વગાથામાંથી અનુવૃત્તિ લઈને આ ગાથાનો અર્થ આવો કરવામાં આવે છે કે ‘વૈક્રિયષટ્કમાં ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડા કોડી વડે ભાગવાથી જે આવે તેને હજાર વડે ગુણી એમાંથી પલ્યોપમનો અસંખ્યમો ભાગ બાદ કરીએ એટલો જઘન્ય સ્થિતિબંધ હોય છે, કેમકે એના બંધક અસંશી જીવો હોય છે. એમાંથી અબાધા બાદ કરીએ એટલો નિષેક હોય છે. (વળી, આવો અર્થ થયો એટલે અસંજ્ઞીજીવને ૨૧૬ શતક ગ્રન્થ પર ટીપ્પણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236