Book Title: Shantiniketan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ 200]. દર્શન અને ચિંતન છે અને હવે જૈન ધર્મને અભ્યાસ મુખ્યપણે શરૂ કર્યો છે. કયાં એ અર્થપ્રધાન અને કરી પ્રધાન ઝાલાવાડનું બ્રાહ્મણ કુટુંબ અને ક્યાં જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનને મુખ્ય અભ્યાસ. એ સ્થિતિ જેને માટે જેમ આનંદ આપનારી છે તેમ શરમાવનારી પણ છે. આજે ગ્રેજયુએટ કે સ્નાતક થયેલા જૈન, જૈન ધર્મના અભ્યાસ પાછળ ખાસ મળ્યા હોય એમ હું નથી જાણ. (2) ભાઈ પ્રભુદાસ નવસારીના પટેલ જ્ઞાતિના છે. અત્યારે તિબેટન શીખે છે. જર્મન ફ્રેન્ચ એ ભણે છે અને વધારે શીખવા તત્પર છે. ચાઈનીઝ શખશે જ, એ જ્યારે શીખી લે ત્યારે ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં આવે એ માગણી કરી છે. ગુજરાતમાં આવો તલસ્પર્શી અભ્યાસ થાય તે જ સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનું છીછરાપણું મટી ઊંડાણ આવે. - કાકા કાલેલકર અને આચાર્ય કૃપાલાનીને રહેવાના સ્થાનને અંતિમ સાનંદ ભેટ કરી કાશી જવા ઊપડ્યો. પ્રસ્થાન, પુ. 5, અંક 6 (વૈશાખ, 1984) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8