Book Title: Shabdadarsh Mahan Shabdakosh Part 01 Author(s): Girjashankar Mayashankar Mehta Publisher: Girjashankar Mayashankar Mehta View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીલે મોઢે માથાં ખણવાની ફરજ પાડેજ છે. અરે! અનિચ્છાએ પણ “જુઓ જુઓ કેષ” એવું આપેક્ષિક વાકય અકસ્માત બોલાવી દે છે. જણાવવાની રજા એજ લઉં છું કે, સંસ્કૃતના પ્રત્યેક અભ્યાસીને આવા મહાકોષે અનેકવાર આશીર્વાદરૂપ બને છે. અભ્યાસ કરવા-કરાવવાના ઘણા પ્રસંગે આવા મહાકે માર્ગદર્શક સેમીયાનું કામ જરૂર કરેજ છેઅને આવા પ્રસંગે સ્વાનુભવમાં ઘણું અભ્યાસીઓ કે અભ્યાસકો લેતા હોવાથી સમાજમાં સર્વને સાધારણ પ્રમાણમાં પણ અનુકુળતા મળી શકે એવા આશયથી આ કેષરચનાને પ્રયત્ન આરંભવામાં આવેલ. જે કે “સંસ્કૃત શબ્દની સામે અર્થ તરીકે સંસ્કૃત પર્યાય” એવી રચના શૈલીવાળા “શબ્દ કલ્પદ્રુમ” “શબ્દસ્તમ મહાનિધિ” “વાચસ્પત્ય વગેરે ઘણા સંસ્કૃત શબ્દકે કલકત્તા વગેરે સ્થળેથી આજકાળ મળી શકે છે પણ તેઓને સંસ્કૃતમાં સાધારણ ઠીક ગણાતા અભ્યાસીઓ અને તેવા અભ્યાસીઓ પણ જે ગર્ભશ્રીમંત હોય તેજ છૂટથી ઉપયોગમાં લઈ શકે છે. કેમકે તે તે શબ્દકની કીંમત સામાન્ય જનસમાજ ખી શકે એ ઓછું સંભવે છે. કદાચ કોઈ શ્રીમંત તેવી મેંઘી કીંમતે પણ તે કોષોને સંગ્રહ કરે છતાં માતૃભાષા આપણું ગુજરાતી હોવાથી કઈ કઈ સ્થળેથી સ્પષ્ટાર્થ મેળવવામાં સાધારણ જ્ઞાનવાળાને મુશ્કેલી નડે જ છે. આવા આવા અનેક વિચારે કર્યા પછી આ મહાકષ લખવાનો આરંભ કરેલ. જે કે લગભગ ૩૦ વર્ષ પહેલાં ભાવનગરમાંથી એક મહાશયે સંસ્કૃત ગુજરાતી નામે “શબ્દચિંતામણિ” શબ્દકોષ પ્રકટ કરેલો પણ તે આજકાલ ૫૦ કે ૬૦ રૂપીઆ આપતાં પણ મળવો અશક્ય થઈ પડયો છે અને આખરે સંસ્કૃત ભાષામાં સંસ્કૃત-ગુજરાતી શબ્દકેષની મેટી ખોટ તેની તેજ સ્થિતિમાં જણાઈ. બીજી તરફ જ્યારે જોઈએ છીએ ત્યારે અંગ્રેજી વગેરેનું માતૃભાષામાં અથૈજ્ઞાન આપનાર અનેક શબ્દક-ડીક્ષનરીઓ અનાયાસે આજે મળી શકે છે, પણ સંસ્કૃત-ગુજરાતી ડીક્ષનરી એક પણ અત્યારે નથી. આવાં આવાં અનેક કારણેને લક્ષ્યમાં લઈ આ કેષરચનાનો પ્રયાસ મેં આર ભેલો અને આજે તે પ્રયાસને સફળ કરવા ગુર્જર પ્રજાચરણે “શબ્દાદર્શ” મહાકેષને પ્રથમ ભાગ ધરું છું. - આ મહાકેષનું “શબ્દાદશ” એ નામ ખરેખર સત્ય છે. “શબ્દને આદર્શ દર્પણ એ અર્થ પ્રમાણે જ લગભગ ઘણા ખરા શબ્દ આ મહાકેષમાંથી મળી શકે છે. કેષરચનાની પદ્ધતિ જે પ્રમાણે હેવી જોઈએ તે પ્રમાણેજ જાળવી છે. પ્રથમ શબ્દનિર્દેશ, તે પછી નર-નારી-નાન્યતર–એમાંની કોઈપણ-જે હોય તે જાતિને નિર્દેશ અને તે પછી જે શબ્દના જેટલા અર્થો થતા હોય તે સર્વ ગ્રહણ કરી અર્થનિર્દેશ આપવામાં આવેલ છે. ઉપરાંત સંસ્કૃત ભાષામાં લગભગ જેટલા ધાતુઓ–ક્રિયાપદ ખાસ ગણાય છે તે સર્વે તેના તેના ગણનિર્દેશ સાથે તથા જે For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 852