Book Title: Saurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 358
________________ ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપેલ અહિંસા, અપરિગ્રહ, અને કાંત વગેરે સિદ્ધાંત એટલા મહાન છે કે જીવનમાં મૂંઝવતા સર્વ પ્રશ્નો હલ થઈ જાય છે, તેમજ આ સિદ્ધાંત પાલનથી માનવનું જીવન * અત્યંત સુખમય બની જાય છે. દેવાધિદેવ તીર્થકરના ચ્યવન કલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાનકલ્યાણક, અને નિર્વાણ કલ્યાણક આ પાંચેય કલ્યાણક અપૂર્વ ઉલ્લાસથી ઉજવવાથી આત્માને સમ્યકૃત્વ ગુણ શુદ્ધ થાય છે. કલ્યાણકે ઉજવવા માટે દેવ-દેવેન્દ્રો પણ મૃત્યુલેક ઉપર ખૂબ ભક્તિભાવથી નીચે આવે છે. અંડકૌશિક જેવા નાગનું ઝેર પણ પરમાત્માના એક વચનથી ઉતરી ગયું તે પરમાત્માના સ્મરણથી બેડો પાર થઈ જાય. માટે યથાશક્તિ આ પુસ્તકનો સાર ગ્રહણ કરીએ વાચક પિતાના જીવનને ધન્ય બનાવે... એ જ હાદિક અભિલાષા. મંગલાચરણ - સંવત : ૨૦૩ર. સ્થાન : શ્રી જૈન વે. મૂ પૂ સંઘ, નાગપુર જીવનમાં સંસ્કારના ઘડતર વિનાના ભણતરની, કિંમત, પડતર માલ જેટલી યે અંકાવાતી નથી. માનવી એકલા વિનય વિવેકના સંસ્કારથી શોભશે, પણ સંસ્કાર વિનાના એકલા શિક્ષણથી નહિ શોભે. સદ્દામાર્ગનુંસારી ગુણે જીવનમાં ઉતરવાથી અવશ્યમેવ જીવનના ઘડતર સહ માનવીનું જીવન શ્રયકારી બનશે. આ ગુણોનું આચરણ આબાલવૃદ્ધ સૌ કોઈ માટે જીવનમાં અત્યંત હિતકારી છે. માર્ગોનુસારીને પહેલા જ ગુણ “ન્યાયસંપનવિભવને છે જે , ધાર્મિક જીવનમાં મંગલાચરણ સ્વરૂપ છે, એટલા માટે પુસ્તકનું નામ મંગલાચરણ” રાખવામાં આવેલ છે. આત્મામાં જ્યાં જ્ઞાતિ પ્રગટ થાય ત્યાં મકોધાદિને ધુમાડો કે?

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361