Book Title: Samyak Shraddharahit Gyanni Asarthakta
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૭૬ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા સર્વજાતિસમભાવ, સર્વ સંપ્રદાયસમભાવ, નરનારીસમભાવ આદિની વાત પણ તેટલી જ ઉન્માર્ગે દોરનારી છે. જ્યાં સુધી આચારભેદ રહેવાને છે ત્યાં સુધી વિચારભેદ પણ રહેવાને છે. જ્યાં સુધી વિચારભેદ રહેવાને છે ત્યાં સુધી ગ્યતાભેદ પણ રહેવાને છે અને જ્યાં સુધી રેગ્યતભેદ રહેવાને છે ત્યાં સુધી સંપ્રદાયભેદ અને નરનારીને ભેદ પણ રહેવાને જ છે. વિના શ્રદ્ધા જ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી અને શ્રદ્ધાથી ચુત થનારાને વિનિપાત સુનિશ્ચિત છે. શ્રદ્ધા એ સર્વ ગુણોનું મૂળ છે. પરમાર્થના કે વ્યવહારના માર્ગમાં શ્રદ્ધાભ્રષ્ટ આત્માઓ સર્વદા નાલાયક મનાય છે. જે કોઈ પણ આત્માને તેના કલ્યાણમાર્ગમાંથી ભ્રષ્ટ કરવું હોય, તો તેને સરળમાં સરળ ઉપાય એ છે કે-સૌથી પ્રથમ તેના કલ્યાણમાર્ગની શ્રદ્ધાથી ભ્રષ્ટ કરે. માનસશાસ્ત્રીઓનું પણ કહેવું છે કે-વિચાર એ આચારને ઘડનાર છે. જે કોઈ માણસને સુધારો યા બગાડ હોય, તે સૌથી પહેલાં તેના વિચારે ફેરવવા પ્રયત્ન કરે જોઈએ. જ્યાં સુધી તે પિતાના વિચા માં મક્કમ હશે ત્યાં સુધી તેને તેના આચારમાર્ગથી ખસેડ દશકય છે. સવિચારેની મક્કમતાનું નામ જ શ્રદ્ધા છે. સાચી શ્રદ્ધા આત્મપરિણામરૂપ હોય છે. એ શ્રદ્ધા જ્ઞાનથી ઘડાય છે એ વાત સાચી છે, તે પણ સર્વ પ્રકારનું જ્ઞાન શ્રદ્ધાને ઘડનાર કે દઢ કરનાર જ થાય છે એમ કહેવું એ સાચું નથી. જ્ઞાનથી જેમ વિચારો અને શ્રદ્ધા મક્કમ બને છે, તેમ જ્ઞાનથી જ વિચારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5