Book Title: Sadhakno Antarnad Part 1
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 210
________________ તે હું છું એવો અભેદ થાય છે તેમ જીવો સાથે સમષ્ટિભાવ થાય ત્યારે જીવો સાથે પણ “સોડહં તે બધા જીવો હું જ છું એવો અભેદ સધાય છે અને ત્યારે જ તે જીવના સુખ દુઃખ એ પોતાનાં સુખ-દુઃખ બને છે અને પછી મૈત્યાદિ ચાર ભાવોના પૂરમાં આગળ વધતો આત્મા સ્વ-પરનું કલ્યાણ કરનાર બને છે. પગથી ઘણા કાર્યો કર્યાં પણ તીર્થભ્રમણ નથી કર્યું માટે આત્મસુખ માટે તો હવે આ પગથી તીર્થભ્રમણ જ કરવું છે. જન્મપાવન આજ માહરો, નિરખીયો તુજ નૂર રે.” નેત્રપાવન આજ માહરો, નિરખીયો તુજ નૂર રે.” “હસ્તપાવન આજ માહરો, નિરખીયો તુજ નૂર રે.” “કર્ણપાવન આજ માહરો, નિરખીયો તુજ નૂર રે.” આત્માને તારે અથવા પવિત્ર કરે તે તીર્થ, પગનો ઉપયોગ તીર્થભ્રમણમાં કરીશ. જાપમાં વિકલ્પો ન ઉઠે તો એકાગ્રતા વધતી જાય છે પણ વિકલ્પો ઉઠે તો વિવેકજ્ઞાન વડે તેને તોડવા પણ દબાવી ન દેવા. વિકલ્પો આવે ત્યારે જાપ ચાલુ રાખવો અને વિકલ્પોનું અવલોકન ચાલુ જ રાખવું. સાધકનો અંતર્નાદ 190 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216