Book Title: Ram Charitra
Author(s): Ravishenacharya, 
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 647
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૬ એકસો તેરમું પર્વ પદ્મપુરાણ મરીને દુર્ગતિમાં જઈશ. આ મારી સ્ત્રીઓ શોભાયમાન, મૃગનયની, પતિવ્રતા, સર્વ મનોરથ પૂરનારી, સ્ત્રીઓનાં ગુણોથી મંડિત નવયુવાન છે તેમને હું અજ્ઞાનથી તજી શક્યો નથી. હું મારી ભૂલને ક્યાં સુધી નિંદુ? જુઓ, હું સાગરો સુધી સ્વર્ગમાં અનેક દેવાંગના સહિત રમ્યો અને દેવમાંથી મનુષ્ય થઈ આ ક્ષેત્રમાં સુંદર સ્ત્રીઓ સાથે રમ્યો, પરંતુ તૃપ્ત થતો નથી. જેમ બંધનથી અગ્નિ તૃપ્ત થતો નથી અને નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ આ પ્રાણી નાના પ્રકારના વિષય સુખોથી તૃપ્ત થતો નથી. હું જુદા જુદા જન્મોમાં ભટકીને ખેદખિન્ન થયો. રે મન! હવે તું શાંત થા, શા માટે વ્યાકુળ બની રહ્યો છે? શું તે ભયંકર નરકોનાં દુઃખ સાંભળ્યાં નથી? જ્યાં રૌદ્રધ્યાની હિંસક જીવ જાય છે તે નરકોમાં તીવ્ર વેદના, અસિપત્ર વન, વૈતરણી નદી, અરે, આખી ભૂમિ જ જ્યાં સંકટરૂપ છે, તે નરકથી હું મન, તું ડરતું નથી. રાગદ્વેષથી ઊપજેલા કર્મકલંકનો તપથી ક્ષય કરતો નથી. તારા આટલા દિવસ એમ જ નકામા ગયા. વિષયસુખરૂપ કૂવામાં પડેલો તું તારા આત્માને ભવ પિંજરામાંથી બહાર કાઢ. તેં જિનમાર્ગમાં બુદ્ધિનો પ્રકાશ મેળવ્યો છે. તું અનાદિકાળના સંસારભ્રમણથી ખેદખિન્ન થયો છે, હવે અનાદિના બંધાયેલા આત્માને છોડાવ. આમ નિશ્ચય કરી હનુમાન સંસાર, શરીર-ભોગોથી ઉદાસ થયા. તેમણે યથાર્થ જિનશાસનનું રહસ્ય જાણી લીધું છે. જેમ સૂર્ય મેઘધરૂપ પટલથી રહિત થતાં મહાતેજરૂપ ભાસે તેમ તે મોહપટલથી રહિત ભાસવા લાગ્યા. જે માર્ગે જઈને જિનવર સિદ્ધપદ પામ્યા તે માર્ગ પર ચાલવા તૈયાર થયા. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનના વૈરાગ્યચિંતનનું વર્ણન કરનાર એકસો બારમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો તેરમું પર્વ (હનુમાનનું દીક્ષા ગ્રહણ અને ઉગ્ર તપથી નિર્વાણપ્રાતિ) રાત્રિ પૂરી થઈ. સોળવલા સ્વર્ણ સમાન સૂર્ય પોતાની દીતિથી જગતમાં ઉદ્યોત કરવા લાગ્યો, જેમ સાધુ મોક્ષમાર્ગનો ઉદ્યોત કરે છે. નક્ષત્રો અસ્ત પામ્યાં. સૂર્યના ઉદયથી કમળો ખીલ્યાં, જેમ જિનરાજના ઉધોતથી ભવ્ય જીવરૂપ કમળો ખીલે છે. વૈરાગ્યથી પૂર્ણ જગતના ભોગોથી વિરક્ત હુનુમાને મંત્રીઓને કહ્યું કે જેમ ભરત ચક્રવર્તી પર્વે તપોવનમાં ગયા હતા તેમ અમે જશું. મંત્રીઓ પ્રેમથી ભરેલા પરમ ઉદ્વેગ પામી રાજાને વિનંતી કરવા લાગ્યા કે હે દેવ ! અમને અનાથ ન કરો, પ્રસન્ન થાવ, અમે તમારા ભક્ત છીએ, અમારું પ્રતિપાલન કરો. ત્યારે હુનુમાને કહ્યું-તમે નિશ્ચયથી મારા આજ્ઞાંકિત છો તો પણ અનર્થનું કારણ છો, હિતનું કારણ નથી, જે સંસાર સમુદ્રથી ઉતરે અને તેને પાછા સાગરમાં નાખે તે હિતુ કેમ કહેવાય? નિશ્ચયથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681