Book Title: Pravasna Ketlak Anubhavo
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૨૨૮] દર્શન અને ચિંતા પિસેન્જર રૂપે એ વાત સાંભળ્યા જ કરી, પણ બર્દવાન રટેશન જે કલકત્તાની નજીક છે ત્યાં પહોંચતાં અચાનક મન તૂટયું અને એ ભાઈ મારી પાસે આવ્યા. વળી વાત શરૂ થઈ. તેમણે કહ્યું: “જે ગાંધીજીએ એક ભૂલ ન કરી હેત તે જરૂર સ્વરાજ્ય મળ્યું હતું. અને તે એ કે, બારડોલીને ઠરાવ, અમે બધા ગાંધીજીને ખૂબ માનીએ છીએ, ખાદી માટે તેમણે બહુ કર્યું છે, વગેરે.” મેં કહ્યું કે “ગાંધીજી વૃદ્ધ-લગ્ન વિરુદ્ધ બહુ લખે છે અને તેને પરિણામે હમણ કેટલાંક વૃદ્ધ-લગ્ન થતાં પણ અટક્યાં છે ત્યારે તમે આટલી ઉંમરે ગાંધીજીને સમજવા છતાં શા માટે પરણ્યા?” મારા આ પ્રશ્ન તેમની બુદ્ધિ શક્તિને ખૂબ વેગ આપે. જેમ કોઈ દલીલબાજ વકીલ એક પછી એક દલીલ દીધે જ જાય છે તેમ તે ભાઈએ પિતાની દલીલબાણાવલિથી મને વીંધ્યા જે કરી નાખે. તેમણે કહ્યું: “આ લગ્નમાં મારે મુખ્ય હેતુ એક બ્રાહ્મણકન્યાના ઉદ્ધારને છે. એને કન્યાકાળ વીતી ગયે એથી એનાં મા-બાપ, લાગતા વળગતાં તેમ જ એ કન્યા એટલાં બધાં દુઃખી થતાં અને લેકનિંદાથી ઘવાયેલાં તે ગમે ત્યાં એ કન્યાને આપી દેવા તરફડી રહ્યાં હતાં. એ બધાનું દુઃખ મેં દૂર કર્યું, અને તેથી વધારે ઉપકાર તે એ કન્યા ઉપર મેં કર્યો છે. એ આંખમાં ફૂલવાળી કન્યાને કોઈ હાથ નહોતું પકડતું ત્યારે મેં કોઈની પરવા કર્યા સિવાય એને બચાવી લીધી છે. ખરી રીતે મેં આ લગ્ન કરીને એક બ્રાહ્મણુકન્યાને અભયદાન આપ્યું છે. બાકી અત્યારે મને લગ્ન કરવાની તૃષ્ણ ન હતી.” મેં પૂછ્યું, “ઉંમર કેટલી ?” ઉત્તર મળે, “ચેપન થયાં હશે.” “શું તમે ન પરણ્યા હેત તે એ કન્યા રિબાત?' મેં પૂછયું. “અવશ્ય, તેનું જીવન એળે જાત. નાત નાની, કન્યાકાળ ગયેલે, આંખે ઝૂલું, પછી તે કોણ? આપણે તે છીએ ઘરડા, એટલે એમ માની લઈએ કે જુગતું જ થયું છે. જે રૂપાળી અને સર્વાંગસુંદર કન્યા મળી હોત તો તે અભિમાની હેવા ઉપરાંત પાછળથી સાચવવી પણ મુશ્કેલ પડત, આ તે ઠીક છે; નહિ ફાવે ત્યારે ખાવા જેટલું આપવાથી ગમે ત્યાં ઘરને ખૂણે પડી રહેશે.” વગેરે. કનુભલ્લજી અને આ સિદ્ધપુરવાળા ઠાકર બન્નેએ વૃદ્ધ-લગ્ન કર્યા, પણ પહેલાએ ખી નબળાઈ સ્વીકારી, બીજાએ બહુ જ કુશળતાથી બળપૂર્વક બચાવ કર્યો, એટલું જ નહિ પણ પિતાની પરેપકાર–વૃત્તિ બતાવી. આમાં તથ્ય શું છે અને કેટલું છે એ બતાવવું એ આ ઘટના આલેખવાને ‘ઉદ્દેશ નથી, પણ આ ઉપરથી સ્પષ્ટ થતો એક આર્યસિદ્ધાંત અહીં સૂચવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7