Book Title: Pravachana Ratnakar 09
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 404
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ આત્મામાં એક સર્વજ્ઞશક્તિ છે. પોતાની સર્વજ્ઞશક્તિમાં એકાગ્ર થતાં પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થાય છે અને ખરેખર તેને જાણે છે. ભગવાન કેવળજ્ઞાનમાં છ દ્રવ્યોને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. અહા ! પર્યાયવાન આત્મા પર્યાયને જાણે એમ ભેદથી કહીએ એય વ્યવહાર છે. અને “વ્યવહારો અભૂદત્થો”—વ્યવહાર અભૂતાર્થ છે અર્થાત્ આશ્રય કરવા યોગ્ય નથી. આવી વાત! સમજાણું કાંઈ..? ભાઈ ! તારી ચીજ કેવી છે, તારાં શક્તિ-સ્વભાવ કેવો છે તેને અહીં સંતો બતાવે છે. અહાહા...! કહે છે-નિશ્ચયથી આત્મા પરનો દર્શક એટલે પરનો શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. આત્મા નિશ્ચયથી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે છે એમ કહી શકાતું નથી. અર્થાત્ આત્મા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે છે એમ કહીએ તે વ્યવહારથી જ છે. જુઓ, છે કે નહિ અંદર? હવે બહારનાં નામાં (નામાના ચોપડા ) કરી કરીને મરી ગયો પણ આ ઘરના ચોપડા (આત્મવસ્તુ કહેનારા શાસ્ત્ર) કદી જોયા નહિ! અરે! તને તારું નામું (અંતર-અવલોકન) કરતાં આવડયું નહિ! અહીં પરમાત્મા–સર્વજ્ઞ પરમેશ્વર કહે છેનિશ્ચયથી આત્મા પરનો શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તે સમકિત-એ તો વ્યવહાર બાપુ! અહીં તો આત્માની શ્રદ્ધા કરવી તે સમકિત એવો ભેદ પાડીએ તેય વ્યવહાર છે. હવે આવી વાતુ માણસને કાને પડવીય કઠણ, બિચારા સંપ્રદાયમાં એમ ને એમ જીવન પૂરું કરે; અવસર ચાલ્યો જાય. ભાઈ ! બહાર મિથ્યા વેશમાં તું રાચે પણ એનું ફળ તો નિગોદમાં જવાનું છે. અહા! નિશ્ચયથી આત્મા પરનો-રાગનો ત્યાગ કરનારો કહી શકાતો નથી. પોતે અંદર જ્ઞાનસ્વરૂપે પરિણમ્યો ત્યાં રાગની ઉત્પત્તિ ન થઈ તો રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. સમયસાર, ગાથા ૩૪ માં આવે છે કે-રાગનો ત્યાગ કરવો તે પરમાર્થથી ભગવાન આત્માને લાગુ પડતું નથી, રાગનો આત્માને ત્યાગ કહેવો એ નામમાત્ર કથન છે. ભાઈ ! આ “જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઇત્યાદિ ભાવો છે, તે પોતે જ છે; ભાવ-ભાવકનો ભેદ કહેવો એ પણ વ્યવહાર છે, નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.' નિત્યાનંદ પ્રભુ આત્મા પોતે છે તેમાં મગ્ન થતાં રાગની ઉત્પત્તિ જ ન થઈ તો રાગનો ત્યાગ કર્યો એમ કથનમાત્ર કહેવામાં આવે છે. આવી વાતુ! હવે એમાં ક્યાંય મેળ ખાય નહિ ને કહે કે વાદ કરો; પણ શું વાદ કરે? એક વાર લીંમડીમાં એક શ્વેતાંબર સાધુ અમારી પાસે આવ્યા ને કહે-આપણે ચર્ચા કરીએ. ત્યારે કહ્યું-ભાઈ અમે ચર્ચામાં પડતા નથી. ત્યારે તે કહે-તમારું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443