Book Title: Pravachana Ratnakar 09
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 420
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ ‘તત્ રૂવું જ્ઞાનું ચીત-અજ્ઞાનમાવું જ્ઞાનં ભવન્તુ' માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ- ‘યેન માવ–ઝમાવા તિયન્ પૂર્ણસ્વમાવ: મવૃત્તિ' કે જેથી ભાવ-અભાવને (રાગ-દ્વેષને) અટકાવી દેતો પૂર્ણસ્વભાવ (પ્રગટ) થાય. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના પરિણામ મારા છે, મને હિતકારી છે એવી માન્યતા અજ્ઞાનભાવ છે. આ શ૨ી૨, મન, વાણી, ને પુણ્ય-પાપના ભાવ-એ સર્વ પરશેય છે, ભગવાન આત્માના નિશ્ચયે કાંઈ પણ સંબંધી નથી. તથાપિ તેઓ મારા (સંબંધી) છે એમ માનવું તે અજ્ઞાનભાવ છે. અહીં કહે છે-આવા અજ્ઞાનભાવને દૂર કરીને જ્ઞાન જ્ઞાનરૂપ થાઓ. ‘જ્ઞાનરૂપ થાઓ' એટલે શું? કે અંદર વસ્તુ ત્રિકાળ ધ્રુવ જ્ઞાનસ્વભાવી પોતે છે તે જ હું છું એવું જ્ઞાન પ્રગટ થાઓ. અહાહા...! અજ્ઞાનદશામાં શરીરાદિ ૫૨શેય હું છું, મારા છે એમ માનતો હતો તે હવે ત્યાંથી ખસીને આ જ્ઞાન.. જ્ઞાન.. જ્ઞાન એક જેનો સ્વભાવ છે તે શાશ્વત ધ્રુવ પ્રભુ આત્મા જ હું છું એમ જ્ઞાન-શ્રદ્ધાન થાઓ–એમ કહે છે. સમજાણું કાંઈ...? અહો ! સંતોએ-કેવળીના કેડાયતી મુનિ ભગવંતોએ-ગજબની વાતુ કરી છે. કહે છે–સર્વને જાણવું ને સર્વને દેખવું એવો તારો જ્ઞાતા-દષ્ટા સ્વભાવ છે. કોઈ પણ પર ચીજને પોતાની માનવી એવું તારું સ્વરૂપ નથી. ચાહે તો વ્યવહા૨૨ત્નત્રયનો વિકલ્પ હો કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હો-એ બધો ૫૨ભાવ છે, ૫૨શેય છે. તેમાં સ્વની બુદ્ધિ કરવી તે અજ્ઞાનભાવ છે. જ્ઞાની તો તેને પરજ્ઞેય તરીકે જાણે છે, તેમાં સ્વામિત્વની બુદ્ધિ કરતો નથી. અહાહા...! જ્ઞાનીના જ્ઞાનથી રાગ ભિન્ન જ પડી ગયો હોય છે; તેના જ્ઞાનમાં રાગનો પ્રવેશ જ નથી. જ્ઞાન પોતામાં રહીને રાગને જાણે છે બસ. ભગવાન આત્મા ત્રિકાળ શાશ્વત એક જ્ઞાનસ્વરૂપી ચીજ છે. તેને ભૂલીને જ્યાં સુધી જીવ દેહાદિ ને રાગ-દ્વેષાદિ મારા માને ત્યાં સુધી અજ્ઞાનભાવ છે, અને જ્યાં સુધી અજ્ઞાનભાવ છે ત્યાં સુધી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે અને સંસાર ઊભો રહે છે. આચાર્ય કહે છે–અજ્ઞાનભાવને દૂર કરીને જ્ઞાન જ્ઞાનરૂપ થાઓ ને જ્ઞેય જ્ઞેયરૂપ જ રહો -કે જેથી ભાવ-અભાવને અર્થાત્ રાગ-દ્વેષરૂપ ઉત્પાદવ્યયને અટકાવી દેતો પૂર્ણસ્વભાવ પ્રગટ થાય. ભાઈ ! રાગ કેવો પણ સૂક્ષ્મ હોય, જ્યાંસુધી તે મારો છે ને મને હિતકારી છે એમ માને ત્યાં સુધી અજ્ઞાનભાવ છે ને ત્યાંસુધી જીવને રાગદ્વેષનું દ્વંદ્વ પ્રગટ થયા જ કરે છે. પરંતુ જેને પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાનું અંતરમાં ભાન થયું છે એવા સમ્યગ્દષ્ટિ ધર્મી પુરુષને અજ્ઞાનભાવ દૂર થયો છે ને હવે તેને અજ્ઞાનમય રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી. દેહાદિ ૫૨શેયોને તે ૫૨૫ણે જાણીને નિજ જ્ઞાનસ્વભાવમાં સ્થિર થતો જાય છે. આ પ્રમાણે જ્ઞાનસ્વભાવમાં વિશેષ વિશેષ રમણતા કરતો થકો તે પૂર્ણસ્વભાવને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443