________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ કર્મનો ઉદય તો જડ પુદગલરૂપ છે; એ ક્યાં જીવને અડય છે? એ તો તે કાળે નિમિત્તમાત્ર છે.
વળી જેને વસ્તુના યર્થાથ સ્વરૂપનું ભાન નથી તે અજ્ઞાની કહે છે કર્મ જ જગાડ છે, કેમકે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે. આમ બધું કર્મ જ કરે છે એમ અજ્ઞાની ભ્રમથી માને છે. કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે ને? તેથી કર્મ જગાડે છે એવો તેને ભ્રમ થઈ ગયો છે; વાસ્તવમાં એમ છે નહિ.
હવે ત્રીજા વેદનીય કર્મની વાત કરે છે.
કર્મ જ સુખી કરે છે, કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે,.....'
જીવને શરીર, કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ ઇત્યાદિ અનુકુળ સામગ્રી મળે છે તેમાં શાતાવેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે. હવે તે સામગ્રીમાં તેને જે સુખબુદ્ધિ થાય છે તે કાંઈ શાતાવેદનીયનું કાર્ય નથી; પણ અજ્ઞાની એવું જૂઠું માને છે કે શાતાવેદનીયના ઉદય વિના જીવ સુખી ન થાય. બાહ્ય અનુકૂળ સાધનો મળે છે તે શાતાવેદનીયના ઉદય અનુસાર મળે છે એ વાત તો સાચી છે, પણ એમાં સુખની કલ્પના તો પોતે ઊભી કરી છે, એ કાંઈ શતાવેદનીયના કારણે છે એમ નથી.
અનુકુળ સામગ્રી સુખનું કારણ નથી, ને પ્રતિકૂળ સામગ્રી દુ:ખનું કારણ નથી; પણ અજ્ઞાની તેમાં પોતાને સુખી-દુઃખી થવાનું માને છે. રે અજ્ઞાન!
- શરીરમાં રોગ આવે, નિર્ધનપણું આવે, વાંઝીયાપણું આવે ઇત્યાદિ બધું અશાતા કર્મના ઉદય અનુસાર હોય છે એ તો સાચું છે, પણ એમાં જે દુઃખની કલ્પના થાય છે તેમાં અશાતાકર્મનું કારણ પણું નથી. અશાતા કર્મ એને દુઃખી કરે છે એ વાત તદ્દન ખોટી છે. અજ્ઞાનીએ બધું (સુખદુખ) કર્મથી થાય છે એમ ઊંધું માન્યું છે. આમ ત્રણ કર્મની વાત થઈ. હવે ચોથી મોહનીય પ્રકૃતિની વાત કરે છે.
કર્મ જ મિથ્યાદષ્ટિ કરે છે, કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે;”
દર્શનમોહનીયનો ઉદય આવે ત્યારે જીવ મિથ્યાદષ્ટિ થાય કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુ૫પત્તિ છે, - આમ અજ્ઞાનીની દલીલ છે. પરંતુ આ વાત બરાબર નથી. પોતે ઊંધા પુરુષાર્થથી વસ્તુસ્વરૂપથી ઉલટી માન્યતા કરે છે તે પોતાનો જ અપરાધ છે, કર્મનું તેમાં કાંઈ જ કામ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com