________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૮૫
अथैनं दूषयति
जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चेव वेदयदि आदा । दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।। ८५ ।।
यदि पुद्गलकर्मेदं करोति तच्चैव वेदयते आत्मा । द्विक्रियाव्यतिरिक्तः प्रसजति स जिनावमतम् ।। ८५ ।।
હવે આ વ્યવહા૨ને દૂષણ દે છેઃ
પુદ્ગલક૨મ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે, જિનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫.
ગાથાર્થ:- [ વિ] જો [આત્મા] આત્મા [વું] આ [પુર્વીનર્મ] પુદ્દગલકર્મને [ોતિ] કરે [૬] અને [તવ્ વ] તેને જ [વેવયતે] ભોગવે તો [સ: ] તે આત્મા [દ્ધિયિાવ્યતિરિક્ત્ત: ] બે ક્રિયાથી અભિન્ન [પ્રસન્નતિ] ઠરે એવો પ્રસંગ આવે છે– [નિનાવમત ] જે જિનદેવને સંમત નથી.
ટીકા:- પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીયે પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી (-પરિણામ જ છે ); પરિણામ પણ પરિણામીથી (દ્રવ્યથી ) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે (જાદી જાદી બે વસ્તુ નથી). માટે (એમ સિદ્ધ થયું કે) જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી (દ્રવ્યથી ) ભિન્ન નથી. આમ, વસ્તુસ્થિતિથી જ ( અર્થાત્ વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે) ક્રિયા અને કર્તાનું અભિન્નપણું ( સદાય ) તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જો વ્યાખવ્યાપકભાવથી પુદ્દગલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-૫૨નો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી (નાશ પામવાથી), અનેદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે.
ભાવાર્થ:- બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાદષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com