Book Title: Prachin Tirthmala Sangraha Part 01
Author(s): Vijaydharmsuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 14
________________ ચોમાસું ઉતરે પટણાની આસપાસનાં બધાં તીર્થોની યાત્રા કરી છે. એ પ્રમાણે પૂર્વ દેશનાં સમસ્ત તીર્થોની યાત્રાનું વર્ણન કરી ૧૩ મી ઢાલથી સેરઠ અને બીજાં ગુજરાત અને મારવાડનાં તીર્થોનું વર્ણન કર્યું છે. છેવટે આ તીર્થમાળા સં. ૧૭૫૦ માં પૂરી કરી છે. આ ઉપરથી જણાય છે કે આ કવિએ સં. ૧૭૪૬ ના ચાતુર્માસ પછીથી સં. ૧૭૫૦ સુધી જ્યાં જ્યાં યાત્રાઓ કરી તેનું વર્ણન આપ્યું છે. કવિ પણ કહે છે જે તીરથ ઈણ મહિં વિષયાં નયણે દીઠાં તેજી; અણદીઠાં પણ ભક્તિ વંદુ ત્રિકાલ લહું તેજી. હિટ ૧૩ (જૂઓ પૃ. ૯) પાંચમી તીર્થમાળા પં. શિવવિજયજીના શિષ્ય કવિ શીલવિજયજીએ સં. ૧૭૪૬ માં બનાવી છે. કવિએ આ તીર્થમાળામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ચારે દિશાનાં તીર્થોનું વર્ણન કર્યું છે. ખાસ કઈ પણ સંઘે અથવા કવિએ પોતે કરેલા યાત્રાવાળાં તીર્થોનું જ નહિં, પરંતુ “જેએલાં” અને “સાંભળેલાં તમામ તીર્થોનું વર્ણન આમાં કર્યું છે. કવિ પ્રારંભમાંજ કહે છે – જગમાં તીરથ સુંદરે તિવત ઝમાલ; પભણસ દીઠાં સાંભળ્યાં સુણતાં અમી રસાલ.” * (જૂઓ પૃ. ૧૦૧) ઉપરની પાંચ તીર્થમાળાઓમાં પૂર્વદેશનાં તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તીર્થમાળાઓમાં મુખ્ય મુખ્ય જે જે તીર્થોનું, ખાસ કરીને કલ્યાણકેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમ ખાસ ખાસ જાણવા જેવી છે જે હકીકતોને ઉલ્લેખ તેમાં કરેલ છે, તેને પરસ્પર મુકાબલો કરી જોઈએ. આ મુકાબલે કરવા પહેલાં એક વાત કહી દેવી જરૂરી છે અને તે એ છે કે પં. વિજયસાગરે પિતાની “સમેતશિખર-તીર્થમાળામાં પ્રારંભની ત્રીજી કડીમાં જણાવ્યું છે કે-“આગરાના દેરાસરમાં હીરવિજયસૂરિએ સં. ૧૬૪૮ માં પ્રતિષ્ઠા કરી હતી.” પરન્તુ તે ઠીક નથી. પં. ભાગ્યવિજયજીએ જણાવ્યું છે – . [ પ ]

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 274