Book Title: Parmatma Jyoti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 474
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ તિઃ શાંતિ વધે છે. ઉપાધિના ત્રણ ભેદ છે, મનની ઉપાધિ, વચનની ઉપાધિ, અને કાયાની ઉપાધિ, આ ત્રણ પ્રકારની ઉપાધિથી જન્મ જરા મરણની પરંપરા વૃદ્ધિ પામે છે પણ કિલ ઘટતી નથી, ઉપાધિથી વ્યાધિ પ્રગટે છે, ઉપાધિજ સંસાર છે, જેમ જેમ વિશેષ ઉપાધિ તેમ તેમ વિશેષ દુઃખ પ્રગટતું જાય છે. જેમ જેમ ઉપાધિ ઘટતી જાય છે, તેમ તેમ ધર્મ પ્રગટતું જાય છે. जेजे अंशेरे निरुपाधिकपणुं, तेते अंशेरे धर्म; સગારે છટાથ, જીવ શિવરા. ઉપાધિના સંબંધી આ અમૂલ્ય વાક્ય સદાકાળ સ્મરણમાં રાખી ઉપાધિનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સંસારમાં અનેક સ્ત્રી પુરૂષે અનેક પ્રકારની ઉપાધિમાં શું થાય છે કિંતુ તે ખરૂ સુખ મેળવી શકતાં નથી, અહો ઉપાધિમાં કેટલું બધું જોર છે કે તેમાંથી માત્મા જરા માત્ર ખસી શકતું નથી. ઉપાધિના ઉંડા ખાડામાં જે પડ તે ભાગ્યે નીકળી શકે છે. ઉપાધિરૂપ વિષની એવી ઘેન છે કે તે આત્માનું ભાન ભૂલાવે છે. શત્રુ, લાકિણી, શાકિણી, ખવીસ, ચડેલ કરતાં ઉપાધિ બુરી છે. ઉપાધિ દુઃખની દેનારી છે. હરતાં, ફરતાં, ખાતાં, પીતાં, સ્વમામાં પણ જેને ઉપાધિ ભાસે છે તેને આમા ઉચકેટિપર ચઢી શકતો નથી, ઉપાધિની જંઝાળમાં ત્રિદીવસ ફેકટ ચાલ્યા જાય છે. અમૂલ્યજીવન પણ ઉપાધિના યોગથી મનુષ્ય હારી જાય છે. જ્યાં સુધી મનુષ્ય અજ્ઞાની છે. ત્યાં સુધી ઉપાધિમાં સુખ માની વિઝાના કીડાની પેઠે સાચી માચી રહે છે પણ જ્યારે જ્ઞાન પ્રગટે છે ત્યારે ઉપાધિમાં કંઈ સુખ ભાસતું નથી, જ્ઞાની પુરૂષના મનમાં એમ આવે છે કે અરે ઉપાધિ એ મહારૂ શુદ્ધરવરૂપ નથી. મહને ઉપાધિ કેમ વળગી છે? ઉપાધિથી કયારે દૂર થાઉ ? આવી ઉપાધિ ત્યાગવા સંબંધી શુભ અવસાય પ્રગટે છે. અજ્ઞાનાથામાં જે ઉપાધિ પ્રિય લાગતી હતી તે જ ઉપાધિ ઉપર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502