Book Title: Papni Saja Bhare Part 05
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

Previous | Next

Page 28
________________ ૨૨૩ ઠરાવે છે જ્યારે સાધુ, રાજા, ન્યાયધીશ વગેરે અસત્યના પક્ષે ઉભા રહે, અન્યાયને પક્ષ લે, ત્યારે સમજી લેવું કે ધમ જ સમાપ્ત થઈ ગયે. તેમને તે દંડ આપીને પણ સમાજમાં સત્યની પ્રતિષ્ઠા વધારવી જોઈએ જેથી લેકે જૂઠું બોલતાં અચકાય-ડરે. સત્યાસત્યની ભાષાના ચાર પ્રકારો છે એનું આલંબન કેવી રીતે લેવું જોઈએ તે વિષે વિચાર કરીએ. ભગવતી સૂત્રમાં ભાષાના આમ ચાર પ્રકાર દર્શાવ્યા છે. ભાષા સત્ય અસત્ય (મૃષા) સત્યમૃષા અસત્યામૃષા (૧) સત્યભાષા – ઘડાને ઘડો કહે, સૂર્ય, ચંદ્ર આદિને સૂર્ય ચંદ્ર કહેવા. એમ વાસ્તવિકતાને વ્યવહાર કરવો એ સત્ય છે. (૨) અસત્યભાષા : વસ્તુ જેવી હોય તેનાથી વિપરીત તેનું વર્ણન કરવું એ અસત્ય ભાષા. (૩) સત્યમૃષા : સત્ય અને અસત્યને મિશ્ર પ્રયોગ કરો. જેમ કે આજે શહેરમાં દસ બાળકે જમ્યા. બાળક જન્મ્યા તે સત્ય, દસની સંખ્યા અસત્ય પણ ઠરે. (૪) અસત્યામૃષા : સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય, સંબોધન આમંત્રણ આજ્ઞા વગેરેમાં બોલવામાં આવતી ભાષા જેને વ્યવહાર કે વચન Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36