Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
૧૬૭
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬
તિર્થાલોકના ૩૨૫૯ શાશ્વત ચૈત્યો માં ૩૯૧૩૨૦ શાશ્વત પ્રતિમાજી નું વર્ણન આપણે શ્રેણી-પમાં જોયું.
આ ઉપરાંત વ્યંતર અને જયોતિષ્કમાં અસંખ્યાત શાશ્વત ચૈત્યો છે (અસંખ્યાત ગણતરીમાં ને લેતા) જેની ગણતરી થઈ શકે તેવા શાશ્વત જિનાલયો ત્રણે લોકમાં થઈને ૮,૫૭,૦૦, ૨૮૨ છે આ વાતનો ઉલ્લેખ “જગ ચિંતામણી” સૂત્રમાં પણ છે. આ રીતે ત્રણે લોકમાં કુલ શાશ્વત પ્રતિમાજી ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ છે.
આ છે શાશ્વત જિનાલય અને તેમાં રહેલી શાશ્વત પ્રતિમાઓની આપણી સાચી ભૂગોળ.
( ૬. સૂત્ર આધારિત પ્રશ્નો ૧. સકલાર્વત ની રચના કોણે કરી? તે ક્યારે બોલાય છે?
સકલાર્વત ની રચના શ્રી હેમચંદ્રાચાર્યે કરેલી છે. તે પખિ, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં ચૈત્યવંદન રૂપે બોલાય છે. સકલાહિત સ્તોત્રનો મુખ્ય વિષય શો છે? સકલાત્ સ્તોત્ર દ્વારા મુખ્યત્વે ચોવીસ તીર્થકરોની અલગ-અલગ શ્લોકથી સ્તુતિ કરવામાં આવેલી છે. મોટા અતિચારનો મુખ્ય વિષય શો છે? મોટા અતિચારમાં મુખ્યત્વે પાંચ પ્રકારના આચાર અને વિશેષ કરીને સમ્યક્ત
મૂલ બાવ્રતમાં લાગેલા દોષોની આલોચના કરવામાં આવે છે. ૪. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના નામ આપો. શાસ્ત્રકારે આ આઠેના
સમૂહ માટે કયો શબ્દ કહેલો છે? ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડમત્તનિકુખેવણા અને પારિષ્ઠાપનિકા એ પાંચ પ્રકારે સમિતિ છે મન-વચન-કાયા એ ત્રણ પ્રકારે ગુપ્તિ છે. આ આના સમૂહને શાસ્ત્રકારો અષ્ટ પ્રવચન માતા કહે છે. સાતમાં વ્રતમાં આવતા ચૌદ નિયમોના નામ આપો સચિત્ત, દ્રવ્ય, વિગઈ, ઉપાનહ, તંબોલ, વસ્ત્ર, પુષ્પ, વાહન, શયન વિલેપન, બ્રહ્મચર્ય, દિશા, સ્નાન, ભાત પાણી એ ચૌદ નિયમ છે. શ્રાવક ને નિષેધ કરાયેલ પંદર કર્માદાનના આપો. અંગાર કર્મ, વનકર્મ, શાટીક કર્મ, ભાટીક કર્મ, સ્કોટક કર્મ, દાંતનો વેપાર
છ