________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ તથા શુભકર્મના અનુબંધો ચોતરફથી એકઠા થાય છે, ભાવની વૃદ્ધિવડે પુષ્ટ એટલે દ્રઢ થાય છે, તથા નીપજે છે એટલે સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી શું થાય છે ? તે કહે છે અને અનુબંધ સહિત, પ્રકૃષ્ટ એટલે પ્રધાન, પ્રકૃષ્ટ એટલે શુભ ભાવવડે ઉપાર્જન કરેલું અને નિશ્ચે ફળ આપનારું શુભ કર્મ. સારી રીતે પ્રયોગ કરેલા મોટા-શ્રેષ્ઠ ઔષધની જેમ શુભ ફળવાળું થાય છે, અનુબંધે કરીને શુભને વિષે પ્રવૃત્તિવાળું થાય છે, તથા પરંપરાએ કરીને પરમસુખને – મોક્ષને સાધનારું થાય છે.
૩૮