Book Title: Panchasara Parshwanathna Mandir Vishena Ketlak Author(s): Bhogilal J Sandesara Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 5
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પણું સૂરિએ તેનો નિષેધ કર્યો; પછી સૂરિના આદેશથી વનરાજે પંચાસરા પાર્શ્વનાથનું ચૈત્ય કરાવ્યું તથા તેમાં પોતાની આરાધક મૂર્તિ પણ સ્થાપિત કરી.*-- पञ्चासरग्रामतः श्रीशीलगुणसूरीन् सभक्तिकमानीय धवलगृहे निजसिंहासने निवेश्य कृतज्ञचूडामणितया सप्ताङ्गमपि राज्यं तेभ्यः समर्पयंस्तैनिःस्पृहैर्भूयो निषिद्धस्तत्प्रत्युपकारबुद्धया तदादेशाच्छ्रीपार्श्वनाथप्रतिमालङ्कृतं पञ्चासराभिधानं चैत्यं निजाराधकमूर्तिसमेतं च कारयामास । (આચાર્ય શ્રી જિનવિજયજીની વાચના, પૃ. ૧૩) પ્રભાચન્દ્રસૂરિકત “પ્રભાવચરિત' (સં. ૧૩૩૪)ના ‘અભયદેવસૂરિચરિત માં કહ્યું છે કે “નાગેન્દ્રગથ્થરૂપી ભૂમિનો ઉદ્ધાર કરવામાં આદિવરાહ સમાન અને પંચાશ્રય નામે સ્થાનમાં આવેલા ચૈત્યમાં વસત (પશ્ચાત્રથામિકથાનથિતāનિવાસિના) શ્રીદેવચન્દ્રસૂરિએ વનરાજને બાલ્યકાળમાં ઉછેયો હતો. વનરાજે આ નગર (અણહિલપુર) વસાવીને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. એ રાજાએ ત્યાં વનરાજવિહાર બંધાવ્યો અને કૃતજ્ઞતાપૂર્વક એ ગુનો સત્કાર કર્યો” (શ્લોક ૭૨–૭૪). અહીં પાશ્રયમિધસ્થાનસિથતબૈત્ય એટલે પાટણનું પંચાસરા પાર્શ્વનાથ ચૈત્ય નહિ, પણ પંચાસર ગામમાં જ આવેલું ચૈત્ય, કે જ્યાં એ આચાર્ય પાટણની સ્થાપના પહેલાં રહેતા હશે. પાટણની સ્થાપના પછી વનરાજે બંધાવેલો “વનરાજવિહાર ” એ પંચાસરા પાર્શ્વનાથ ચૈત્યનું જ બીજું નામ છે એ “ધર્માલ્યુદયના ઉલ્લેખથી સ્પષ્ટ છે. આ મંદિરમાં ઠ૦ આસાકની મૂર્તિ નીચેનો શિલાલેખ પણ એ સૂચવે છે. ૭. જયશેખરસૂરિકૃત પંચાસરા વિનતી (સં. ૧૪૬૦ આસપાસ) સં. ૧૪૬૨માં સંસ્કૃતમાં “પ્રબોધચિન્તામણિ” નામે આધ્યાત્મિક રૂપગ્રન્થિ રચીને પછી એનું છટાદાર ગુજરાતી પદ્યમાં “ત્રિભુવનદીપક પ્રબન્ધ” નામથી રૂપાન્તર કરનાર અંચલગચ્છીય આચાર્ય જયશેખરસૂરિનું સ્થાન જુના ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ કવિઓમાં છે. એમણે રચેલી કેટલીક પ્રકીર્ણ ગુજરાતી કાવ્યરચનાઓની ૨૧ પત્રની એક પ્રાચીન હસ્તપ્રત પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી અને પૂ. મુનિશ્રી રમણીકવિજયજીએ ચાણસ્માના ભંડારમાંથી મેળવી હતી. એ પોથીના પાંચમાં પત્ર ઉપર “પંચાસરા વીનતી” એ નામનું પંચાસરા પાર્શ્વનાથનું એક સુન્દર સંક્ષિપ્ત સ્તુતિકાવ્ય છે. આ પહેલાંના, પંચાસરા પાર્શ્વનાથના મન્દિર વિષેના ઉલ્લેખો, ઉપર સૂચવ્યા તેમ મળે છે, પણ એ વિષેનું ગુજરાતી ભાષામાં આ પહેલું જ ઉપલબ્ધ સ્તવન છે. આ સ્તવન જયશેખરસૂરિએ પાટણમાં રહીને જ રચ્યું હોય એ સંભવિત છે. એની પહેલી કડી નીચે મુજબ છે : “સખે પાસુ પંચાસરાધીશ પખઉં, હુયઉ હળુ કેતઉ ન જાણુ સુલેખઉં, કિયાં પાછિલઈ જમિ જે પુણ્યકાર, ફલિયાં સામટાં દેવ દીકંઈ તિ આજુ.” ૪. “પ્રબન્ધચિન્તામણિ – અંતર્ગત કેટલાક પ્રબન્ધોનો આશરે ૪૦૦ વર્ષ પર થયેલો સંક્ષેપ “પુરાતન પ્રબન્ધસંગ્રહના પરિશિષ્ટમાં છપાયો છે તેમાં “પ્રબન્ધચિન્તામણિ'ના ઉપર્યુક્ત વૃત્તાન્તનો સારોદ્ધાર આપતાં કહ્યું છે (પૃ. ૧૨૮)ભાવાર્યવવસા શ્રી પાર્શ્વતમાાં નિખારાષfમૂર્તિયુક્ત સાત જાતના આજે પણ આ મન્દિરને સામાન્ય બોલીમાં “પંચાસરા' નામે ઓળખવામાં આવે છે તે આ સાથે સરખાવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8