Book Title: Padliptsurikrut Nirvankalikano Samay ane Samasyao
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 14
________________ ૯૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ મડખેડના (માન્યખેટક) કૃષ્ણરાજને મળ્યાનો એક વિશેષ જે ઉલ્લેખ મળે છે તે આ ત્રીજા પાદલિપ્તસૂરિને અનુલક્ષીને હશે. શત્રુંજય પર અનશન એમણે પણ કર્યું હોવાનો સંભવ છે. અનુપૂર્તિ મૂળ લેખ લગભગ ૨૩ વર્ષ પૂર્વે લખાઈ ગયેલો. તે પછી આ વિષય પર પ્રકાશ વેરતું એક નવું પ્રમાણ ઉપલબ્ધ થયું છે. તે અનુસાર જીવદેવસૂરિના જિન-સ્નાત્ર-વિધિ (પ્રાયઃ ૯મી સદી) પર સમુદ્રાચાર્યની સંભવતઃ ઈ. સ. ૯૫૦માં લખાયેલી પંજિકામાં મળી આવતું એક પદ્ય નિર્વાણકલિકામાં ઉદ્ધત થયેલું છે. તે જોતાં નિર્વાણકલિકાકાર ક્રમમાં આવતા ત્રીજા પાદલિપ્તસૂરિ હોવાની પ્રતીતિ થાય છે. ઉપરાંત તેઓ મડખેડમાં જે કૃષ્ણ રાજાને મળેલા તે રાષ્ટ્રકૂટ કૃષ્ણ તૃતીય હોવાની સંભાવના બળવત્તર બની જાય છે. આથી નિર્વાણકલિકાનો રચનાકાળ પ્રાયઃ ઈ. સ. ૯૭૫ આસપાસમાં મૂકીએ તો સત્યની વધારે નજીક હશે. ટિપ્પણો : ૧. આમાં કહેલાં વિધાનો પછીના ગ્રંથોના વિધાનોથી કેટલીયે વાર વિગતોમાં જુદાં પડે છે. ૨. આ સૂરિના કાર્ય સંબદ્ધ જૂનામાં જૂના ઉલ્લેખો બૃહકલ્યભાષ્ય આદિ ગ્રંથોમાં મળે છે. વિગતો માટે જુઓ ભોગીલાલ જે. સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, ભો. જે. વિદ્યાભવન અમદાવાદ ૧૯૫૨, અને ત્યાં લેખકે ટાંકેલા સંદર્ભો. ૩, તરંગવતી કથા મહારાષ્ટ્ર પ્રાકૃતમાં થયેલી રચના છે અને નિર્વાણલિકા સંસ્કૃતમાં છે. ઈસ્વી ૨૦૦ આસપાસ જૈન સંસ્કૃતમાં લખતા હતા એવું કોઈ જ પ્રમાણ ઉપલબ્ધ નથી. વિશેષમાં નિ. કનાં ભાષાશૈલી, અને નિરૂપણ વસ્તુ પણ સ્પષ્ટતયા મધ્યકાલીન જે છે. ૪. જુઓ પ્રભાવક ચરિત, સિંધી ગ્રંથમાલા ક્રમાંક ૧૩, સં. જિનવિજય, મુંબઈ વિ. સં. ૧૯૯૭ (ઈસ્વી ૧૯૪૦), પૃ. ૨૯. ૫. મથુરાથી પ્રાપ્ત કુષાણકાલીન અભિલેખોમાં સૂચિત નામો, નંદીસ્થવિરાવલીમાં વાચકવંશના આચાર્યોની યાદી, તેમ જ વાચક ઉમાસ્વાતિના સભાષ્ય-તત્ત્વાર્થાધિગમસૂત્રની પ્રશસ્તિ પરથી એવો અંદાજ નીકળી શકે છે. 5. U. P. Shah, Akota Bronzes, Bombay 1959, pp. 4, n 16, and 63 ff. ૭. બપ્પભકિની ચતુર્વિશતિકા અંતર્ગત તેમની સ્તુતિઓમાં પ્રતિભાવૈધાનિક વિગતો મળે છે. જુઓ હીરાલાલ રસિકદાસ કાપડિયા, મુંબઈ ૧૯૨૬. ૮. સમવાયાંગસૂત્રમાં પ્રસ્તુત સ્તુતિ ૨૪મા સ્થાને છે. ૨૪ તીર્થકરી વિશે તો વિગતો મળે છે. પણ ત્યાં જિનના ૨૪ યક્ષ-પક્ષીઓ વિશે જરા પણ નિર્દેશ નથી, આ વિષય સંબંધમાં જુના મૂળ ગ્રંથો જોઈ વળતાં એવો નિર્ણય સહેજે બંધાઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18