Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 5
________________ ૪ સમયનો પ્રવાહ ઝડપથી દિશા બદલી રહ્યો છે. સર્વ ભાષાની માતા અને મૂળ સમી સંસ્કૃત ભાષા દિવસે દિવસે લુપ્ત થઇ જાય છે. વિદેશી એવી અંગ્રેજી ભાષાનો વ્યાપ વધતો જાય છે. ત્યારે આપણી પાછલી પેઢી ધર્મસંસ્કારોથી વંચિત ન રહી જાય એ એક માત્ર આશયથી ન છૂટકે નવસ્મરણ સૂત્રનું અંગ્રેજીકરણ થઈ રહ્યું છે. પંડિતવર્ય શ્રી ધીરૂભાઇ મહેતાએ નવસ્મરણનો સરળ ભાવાનુવાદ કર્યો છે. તેનું અંગ્રેજી લીપીમાં ઉચ્ચારણ તથા ભાષાનુવાદનું અંગ્રેજીકરણ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ. ની પ્રેરણા પામી વિદ્વાન્ પ્રો. અમૃતલાલ ઉપાધ્યાયે કરેલ છે. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તથા જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ દ્વારા આ પુસ્તકનું પ્રકાશન થઈ રહ્યું છે. આ નવસ્મરણના પઠન પાઠન દ્વારા અનેક પુણ્યાત્માઓ કર્મ નિર્જરા સાધી શીધ્ર મુકિતને વરે એજ એક અભ્યર્થના . પ્રકાશક @ al Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 260