Book Title: Mokshna Sadhan
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૧૨ ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા પ્રસિદ્ધ છે કે-કોઈ વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પોતાની જાતે જ શીખી લે છે. આંતરિક કારણેની સમાનતા હોવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા અને અનપેક્ષાને લઈને સમ્યગદર્શનના ‘નિસર્ગ સમ્યગદર્શન અને “અધિગમ સમ્યગ્દર્શન” એવા બે ભેદ કર્યા છે. બાહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારના હોય છે. કેઈ પ્રતિમા આદિ ધામિક વસ્તુઓના માત્ર અવલોકનથી, કેઈ ગુરુને ઉપદેશ સાંભળીને, કઈ શાસ્ત્રો ભણીને અને કઈ સત્સંગથી પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. ઉત્પત્તિકમ-અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહ તરેહના દુઃખને અનુભવ કરતાં કરતાં એગ્ય આત્મામાં કેઈ વાર એવી પરિણામશુદ્ધિ થઈ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામશુદ્ધિને “અપૂર્વ કરણ” કહે છે. અપૂર્વકરણથી તાવિક પક્ષપાતની બાધક રાગ-દ્વેષની તીવ્રતા મટી જાય છે. એવી રાગ-દ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરુક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ “સમ્યક્ત્વ છે. સમ્યગ જ્ઞાન-તેના પાંચ ભેદ છે. મતિ, કૃત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ,-એ પાંચ જ્ઞાન છે. સૂત્રમાં જેમ સમ્યગદર્શનનું લક્ષણ બતાવ્યું છે તેમ સમ્યગ્રજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કે–સમ્યગ્દર્શનનું લક્ષણ જાણી લીધા પછી સમ્યગ્રજ્ઞાનનું લક્ષણ વિના પ્રયાસેઅનાયાસે જાણી શકાય છે. તે આ રીતે-જીવ કંઈક વાર સમ્યગદર્શનરહિત હોય છે પણ જ્ઞાનરહિત હેતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5