Book Title: Marganusarinu Pratham Lakshan Nyayasampannavibhav
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૦૩ અસરની મને ખબર પડે. એ ખ્યાલ કરીને પરેઢિયાના પાંચ વાગે એક મરછીમાર માછલાને ટેપલો લઈને આવતું હતું તેના હાથમાં દિવાને પેલી શેઠની ગીની મૂકી દીધી. આખા દિવસમાં માછલાં વેચવા છતાં ફક્ત ચાર-છ આના કમાનાર મછીમારને આમ અનાયાસે ગીની મળતાં તે રાજી રાજી થઈ ગયો. તેના મનમાં થયું કે-આજે મને વેપાર કરવાની જરૂર નથી. સી જઈને તે માછલાંને ધીરે રહીને પાણીમાં નાંખી આવ્યું. વળતાં તેણે એક રૂપીઆનું અનાજ, ગોળ, ઘી વિગેરે લીધું અને ચૌદ રૂપીઆ રોકડા લીધા. તેને વિચાર આવ્યું કે હું શા માટે પાપ કરું? હું ગમે તે ધંધે કરીશ, પણ હવે મારે પાપી ધંધે તો ન જ કરે. આવી રીતે તે પાપી બંધ છેડી દે છે. એ રૂપીયાથી લાવેલું અનાજ ખાતાંની સાથે એના કુટુંબને પણ એ જ વિચાર થાય છે કે-આટલા રૂપીયામાં તે આપણા ૨-૩ મહિના નીકળી જશે. ત્યાં સુધી કેઈ ને કઈ મજુરી શોધી લઈશું. શા માટે હવે આ પાપી બંધ કરે? આ પ્રતાપ હતે એ નીતિના દ્રવ્યને. હવે ત્યાંથી દિવાન ગંગા નદીના કિનારા તરફ ગયે. ત્યાં જઈને જુએ છે તે એક ગિરાજ આસન લગાવીને સમાધિમાં મસ્ત બન્યા છે. તેનું કપાળ તેજસ્વી છે. આ યેગીની સામે આસ્તેથી પેલે દિવાન રાજાની ગીની મૂકી દે છે. થોડી વાર પછી યોગી સમાધિમાંથી જાગ્રત થાય છે. સૂર્યને પ્રકાશ ગીની ઉપર પડે છે. આથી ગીની ખૂબ ચકચકિત બને છે. આ ગીનીને પ્રકાશ વેગીની નજરે પડતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9