Book Title: Marganusarinu Pratham Lakshan Nyayasampannavibhav
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૨૦૦ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા માર્ગાનુસારીનું પ્રથમ લક્ષણ –ન્યાયસંપન્નવિભવ નીતિ-અનીતિના દ્રવ્યનો પ્રભાવ આપણું જેનશાસ્ત્રમાં માર્ગનુસારીના પાંત્રીશ ગુણે પિકી પ્રથમ ગુણ “સ્થા સંપન્નવિમા આવે છે. ન્યાય એટલે શુદ્ધ વ્યવહાર, તેથી આ લોક અને પરલોક્ન હિત-કલ્યાણ થાય છે. દ્રવ્યપ્રાપ્તિને ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાય જ છે, એમ સિદ્ધાંતવાદીઓ કહે છે. ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યની પ્રાપ્તિમાં તેના અંતરાય કરનારા કર્મને અવશ્ય નાશ થાય છે. તે લાભાંતરાય કર્મને નાશ થવાથી ઉત્તરકાળે એટલે આગામી કાળે અર્થસિદ્ધિ-ઈચ્છિત વૈભવની પ્રાપ્તિને આવિર્ભાવ થાય છે. અન્યાયથી વ્યવહારની પ્રવૃત્તિ કરવામાં દ્રવ્યલાભ થાય અને ન પણ થાય, પરંતુ પરિણામે હાનિ તે નિઃસંદેહ અવશ્ય થાય છે. અન્યાયથી વ્યવહારપ્રવૃત્તિ કરનાર કેઈ પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવને દ્રવ્યલાભ થાય છે, પણ તેવી અન્યાયી પ્રવૃત્તિથી બાંધેલા પાપ નિયતપણે પિતાનું ફળ આપ્યા સિવાય ઉપશમ પામતાં જ નથી. અન્યાયપાજિત દ્રવ્ય તે આ લેક ને પરલોકમાં અહિતનું જ કારણ છે, એમાં શંકાને સ્થાન નથી. સૌ કોઈ પિતાના અંતરાત્માને પૂછી જુઓ કે તમે જે ધન પેદા કર્યું છે અથવા કરી રહ્યા છે, તે ન્યાયથી કે અન્યાયથી? યાદ રાખશે કે-અન્યાયથી ઉત્પન્ન કરેલો પૈસે જીવનને ભ્રષ્ટ કરે છે. આજે સાધુઓ, ગૃહસ્થ અને રાજાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9