Book Title: Marganusarinu Pratham Lakshan Nyayasampannavibhav
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 8
________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૦૭ નહિ, પોતાની માન–પ્રતિષ્ઠા વધારવા માટે અસત્ય ધર્મોપદેશ દે નહિ, અન્ય મતવાળો ધર્મ સંબંધી ખરી વાત કહેતે હોય, એમ છતાં “એ ધર્મ વધી જશે”—એમ જાણી તે વાર્તા જુઠી પાડવાની કુયુક્તિ કરવી, તે પણ અન્યાય છે. પિોતે અવિધિએ પ્રવર્તતો હોય અને બીજા પુરુષને વિધિથી વત્તે જઈ તેના ઉપર દ્વેષ ધારણ કરે, તે અન્યાય છે. દાણચોરી કરવી, સ્ટોપની ચોરી કરવી તેમજ ખરી પેદાશ છૂપાવી થોડી પેદાશ ઉપર સરકારને કર આપે, તે પણ અન્યાય જ છે. ખાતર પાડવું, કૂંચી લાગુ કરવી અથવા લૂંટ પાડવી, તે પણ અન્યાય છે. ગુણવંતા સાધુમુનિરાજ, દેવ, ગુરુમહારાજ, તેમજ શુદ્ધ ધર્મનાં અવર્ણવાદ બોલવા નહિ તથા કન્યાને પૈસે લઈ પિતે વિવાહ કરે નહિ. આ સિવાય બહુ પ્રકારે અન્યાય થઈ શકે છે. તે સર્વ ત્યાગ કરીને વ્યાપાર કરશે અર્થાત્ શુદ્ધ વ્યવહાર ચલાવ, તે માર્ગોનુસરીનું પ્રથમ લક્ષણ છે. આ એક જ લક્ષણ સમુચિત રીતે આવે તે માર્ગોનુસરીના બીજા લક્ષણે પણ સાંકળના અંકેડાની માફક પ્રાપ્ત થાય છે. આ સત્ય હંમેશાં યાદ રાખવાનું કે-આ દુનિયામાં આપણે એક ગુણ સર્જાશે ગ્રહણ કરીએ અથવા ગ્રહણ કરવા પ્રયત્ન કરીએ, તો બીજા સદ્દગુણે પણ તેની પછવાડે ચાલ્યા આવે છે. આ વાત બહુ ધ્યાન રાખી મન ઉપર ઠસાવવા જેવી છે. દાખલા તરીકે-કેઈ માણસ સર્વીશે પ્રમાણિકણું ગ્રહણ કરે અથવા તેવા થવા મહેનત કરે, તે તે કદી હિંસા કરે નહિ, અસત્ય બેલે નહિ-એ સર્વ મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9