________________
સમયનો અભાવ
૧૯૫૨થી ૧૯૬૦ સુધી એટલે કે બે સત્ર સુધી અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડ્વાઇટ ડેવિડ આઇઝનહોવરે (જ. ઈ. ૧૮૯૦, અ. ઈ. ૧૯૬૯) બાહોરા સેનાપતિ, કુશળ રાજકારણી અને નાગરિક અધિકારોનો પ્રથમ કાયદો પસાર કરનાર તરીકે આગવી પ્રતિભા દાખવી. એમને અનેક રાજપુરુષો સાથે સંઘર્ષમાં આવવાનું બનતું હતું એટલું જ નહીં પણ અમેરિકાના એક ભાગ જેવા દિક્ષાનાં રાજ્યો સામે ઝઝૂમવું પડતું હતું.
આઇઝનહોવરના પુત્ર જ્હોનને કોઈએ એમ પૂછ્યું, “તમારા પિતા ઉચ્ચ લશ્કરી અધિકારી હતા અને તેથી એમણે ક્યારેય એમના વિરોધીઓ તરફ બળાપો કાઢ્યો હતો ખરો ?” જનરલ આઇઝન હૉવરના પુત્રએ કહ્યું, “મારા પિતાને મેં ક્યારેય શત્રુ દેશો કે એ દેશોના અગ્રણીઓ પ્રત્યે કે અન્ય સૈનિક વડાઓ અંગે કોઈ વિરોધી વાતો કરતા સાંભળ્યા નથી.”
વળી પ્રશ્ન કર્યો, “પરંતુ એમણે રાજકારણમાં ઝુકાવ્યું અને ઘણાં પરિબળોનો એમને સામનો કરવાનો આવ્યો, ત્યારે એમની નીતિઓનો વિરોધ કરનાર પ્રત્યે એમણે ક્યારેય નારાજગી પાક્ત કરી છે ખરી ?"
જ્હોન આઇઝનહોવરે કહ્યું, “મેં મારા પિતાને ક્યારેય કોઈની ઈર્ષ્યા કરતા જોયા નથી. કોઇ નેતા અંગે વિરોધી વાતચીત કે ઉચ્ચારણો કરતા સાંભળ્યા નથી અને કોઈનાથ પ્રત્યે એમણે નારાજગી વ્યક્ત કરી નથી.”
“આનું કારણ શું ?”
જ્હોને ઉત્તર આપ્યો, “આનું કારણ એ કે એમણે એક પણ મિનિટ એવા લોકો વિશે
વિચારવામાં બગાડી નથી કે જેમને એ પસંદ કરતા ન હોય કે જે એમની નજરમાંથી ઊતરી ગયા હોય. જેમની સાથે એમને સંઘર્ષ હોય એવી વ્યક્તિ પર પણ એમણે ક્યારેય
મંત્ર રટાજાનો ગુસ્સો કરીને સમય બરબાદ કર્યો હોય, તેવું મને યાદ નથી.”
150