Book Title: Mangalyatra Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ 192] દર્શન અને ચિંતન વિચાર અને વર્તન એ ધર્મમેધ * બની જાય છે. એનું જીવન જોતાં જ, એનાં વચનો સાંભળતાં જ, એની કર્તવ્યદિશા નિહાળતાં જ માણસનું ચિત્ત ભક્તિથી પ્રવવા લાગે છે. મંગળયાત્રા જીવનમાં શરૂ થઈ પછી તેને યાત્રિક ગમે તે ક્ષેત્રમાં ને ગમે તે વિષયમાં વિચારતો કે કામ કરતે હશે તો તેમાં એને મનની ગૂંચ કંઈ બાધા નાખી નહિ શકે, એટલું જ નહિ પણ તે આખા વિશ્વને આત્મવત જ લેખશે. -“પ્રબુદ્ધજીવન” તા. 25-9-1953 * “ધર્મમેઘ” એક પ્રકારની સમાધિ છે. તે અવસ્થા સમાધિમાં બહુ ઊંચા ગણાય છે. જ્યારે ચિત્તમાંથી કલ્યાણની જ વર્ષા થાય, અને શુદ્ધ અને શુભ વિચાર તેમ જ પ્રવૃત્તિને ઝરે ફૂટે. યોગશાસ્ત્રમાં આ ખાસ શબ્દ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4