Book Title: Mahendra Jain Panchang 1963 1964 1965
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 3
________________ - वंदे श्री वीरमानन्दम् આ પ્રસ્તાવના વગીય પૂજ્ય ગુરુવર્ય આચાર્ય શ્રીમદવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબને પ્રણમીને હું મારા ગત વર્ષના પંચાંગ સંબંધીના અનુભવે સમાજ સમક્ષ રજુ કરું છું. આ વિષયમાં રસ લેતા પૂ. આચાર્યાદિ મુનિવરે તથા વિદ્વાનોને હું રૂબરૂ તેમ જ પંચાંગ દ્વારા પરોક્ષ રીતે મલ્યો છું. તેઓએ આ પંચાંગની મહત્તા સ્વીકારી મારા આ દિશાના શ્રમને પ્રોત્સાહન આપ્યું છે તે માટે હું સવને આભારી છું. આચાર્ય શ્રીમાન મહેન્દ્રસૂરિજી મહારાજનો પરિચય-આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રાખવાનું કારણ અહીં બતાવવું જોઈએ. આ આચાર્ય દીલ્હીના બાદશાહ ફીરોજશાહ તઘલખના મુખ્ય ગણુક હતા. જેમાં ખગોળ શાસ્ત્રના પ્રાણુરૂપ મહાપુરૂષોમાંના આ એક મહાપુરૂષે ખગોળ વિઘાને અદિતીય એ યંત્રજ નામે ગ્રંથ શકે ૧૨૯૨ એટલે વીર સંવત ૪૯૭ વિક્રમ સંવત ૧૪૨૭ માં લખી સમાજ ઉપર ચિર સ્થાયી ઉપકાર કર્યો છે. એની સાબિતી રૂપે એટલું જ કહીશ કે આજ પર્યત પણ આ ગ્રંથ જયપુર તથા બનારસની સંસ્કૃત કોલેજમાં ઉચ્ચ કોટિનું માન ધરાવે છે. એટલે કે તિષાચાર્યની પરીક્ષામાં પાંચ પુસ્તક તરીકે ચાલે છે. આથી વિશેષ મહત્તા કેઈ પણ ગ્રંથની શું હોઈ શકે? આ મહાપુરૂષના શિષ્ય રત્ન શ્રી મલયચન્દ્રસૂરિજી મહારાજે ઉપરોક્ત ગ્રંથ ઉપર વિદ્વત્તાપૂર્ણ ટીકા રચીને સમાજ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. વિશેષતઃ જયપુર સ્થાપિત મહારાજા શ્રી જયસિંહજી પણ તે જ ગ્રંથ ઉપર વિદ્વત્તાપૂર્ણ કારિકા રચી ગ્રંથના મૌલિક વિષયને વિસ્તારપૂર્વક ફેટ કરી જયપુર, ઉન, બનારસ, દિલ્હી વગેરે સ્થળોએ વેધશાળા દ્વારા આ યંત્રરાજ ગ્રંથની પ્રત્યક્ષતા સાબિત કરી બતાવી છે. તદુપરાંત બનારસના તિન પંડિત શ્રી સુધારક દિવેદીએ પણુ યંત્રરાજ ઉપર ટીપ્પણુ રચી ગ્રંથની સર્વમાન્યતા સાબિત કરી છે. આ પંચાંગમાં તિથિ વગેરેનું ગણિત આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના યંત્રરાજ ગ્રંથમાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે કરેલ હોવાથી આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રાખવામાં આવ્યું છે. પ્રાચીન કાળમાં સમય માપવા માટે ઘટીપાત્રો વપરાતાં હતાં, અને તેથી પંચાંગમાં ઘડી પળમાં સમય અપાતા હતા તે યે જ હતું. પણ હાલમાં તે બધે ધડીઆળ જ વપરાય છે. અને તેથી પ્રચલિત અન્ય પંચાંગોને ઉપયોગ કરવો હોય તે તેમાં આપેલી ઘડી, પળના કલાક મિનિટ કરી, તેને સૂર્યોદયના કલાક મિનિટમાં ઉમેરવાથી ઘડીઆળને વખત મળે છે, આ અગવડ અને મહેનત ટાળવા માટે આ આખું પંચાંગ કલાક મિનિટમાં આપ્યું છે. પંચાંગમાં ટાઈમ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યો છે, કારણ કે રેલવે, તાર, ટપાલ વગેરેને લીધે આ ટાઇમ આખા હિન્દુસ્તાનમાં પ્રચલિત છે, તેથી આ પંચાંગ આખા હિંદુસ્તાનમાં એક સરખુ ઉપયોગી થઈ પડશે. રેલવેની માફક બપોરના ૧-૨ થી રાતના ૧૧ સુધીના ક્લાકને ૧૩-૧૪ થી ૨૩ સુધીના કલાક ગણ્યા છે, ફરીને રાતના બાર વાગ્યાથી કલાક ગણીને નવી તારીખ ગણી છે. ૧-૨ વગેરે કલાકે તે તારીખના સૂર્યોદયની પહેલાંના સમય બતાવે છે, તે બરાબર ધ્યાનમાં રાખવું, કિરણવક્રીભવનને લીધે સૂર્યોદય અને સૂર્યાસ્ત ગણિતગત સમય કરતાં લગભગ ૨ મિનિટ વહેલે સૂર્યોદય દેખાય છે. અને એ જ પ્રમાણે ગણિતગત સમય કરતાં રા મિનિટ મેડો (વધારે) સૂર્યાસ્ત દેખાય છે. આ સંસ્કાર (કિરણુવક્રીભવન) આ પંચાંગમાં આપેલ હોવાથી સૂર્યની સાયન મેષ અને સૂર્યની સાયન તુલા સંક્રાંતિ વખતે દિનમાન (૧૨ ક. ૦ મિ. હોવા છતાં) ૧૨ ક. ૫ મિનિટ આપ્યું છે. તેવી જ રીતે દરેક દિનમાન ગણિતગત (દિનમાન) કરતાં ૫ મિનિટ વધારે લખવામાં આવ્યું છે, તે બરાબર છે. લગ્ન કાઢવા માટે તથા ઇષ્ટ ઘડી સાધન માટે આ પંચાંગમાં આપેલ સૂર્યોદયમાં ર મિનિટ ઉમેરવી જોઈએ. પંચાંગની સમજણ-પંચાંગના કાકામાં પ્રથમ ખાનામાં આપેલ આંકડે મુંબઈ સૂર્યોદય સમયે પ્રવર્તમાન તિથિને છે. ત્યાર બાદ વાર અને અંગ્રેજી તારીખ આપેલ છે. જેથી તિથિ, વાર અને તારીખ એક સાથે જોઈ શકાય. પછી તિથિ (અક્ષરમાં) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. ત્યાર બાદ નક્ષત્ર (અક્ષરમાં) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી એગ (અક્ષરમાં) અને તેની

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 130