Book Title: Mahendra Jain Panchang 1963 1964 1965
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 8
________________ ૬ થાય છે. આ યોગ અત્યંત શુભ છે. પણ જે નક્ષત્ર નીચે જણાવેલ તિથિ સહિત હોય છે તે વિષગ થાય છે. મૃત્યુગ–રવિ અને મંગળવારે ૧-૬-૧૧, સોમ અને શુક્રવારે ૨-૭-૧૨, બુધવારે ૩-૮-૧૩, ગુરુવારે ૪-૬-૧૪, શનિવારે પ-૧૦-૧૫ તિથિ હોય તે મૃત્યુયોગ થાય છે. ' જવાલામુખી ગ–એકમે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃતિકા, અને નોમે રોહિણી, અને દશમે આશ્લેષા નક્ષત્ર હોય તે વાલામુખી વેગ થાય છે. આ યોગ અશુભ છે. કાળમુખી ચોથને દિવસે ત્રણ ઉત્તરા, પાંચમે મધા, નોમને કૃતિકા, ત્રીજને અનુરાધા તથા આઠમને રોહિણી હોય તે કાળમુખી નામને વેગ થાય છે. આ યોગ અશુભ છે. યેગીનીનું કેષ્ટક પૂર્વ ઉત્તર અગ્નિ નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ વાયવ્ય ઈશાન ૧-૯ ૨-૧૦ ૩-૧૧ ૪-૧૨ ૫-૧૩ -૧૪ ૭-૧૫ ૮-૩૦ આ બતાવેલ તિથિઓમાં ઉપર જણાવેલ દિશા તથા વિદિશામાં યોગિણું રહે છે. ગિણી જનાર માણસને પછવાડે તથા ડાબી બાજુએ સારી જાણવી. સન્મુખ તથા જમણી બાજુએ અશુભ જાણવી. વત્સ ચાર–મીન, મેષ અને વૃષભ સંક્રાંતિમાં વત્સ પશ્ચિમ દિશાએ ઉગે છે. મિથુન, કર્ક અને સિંહ સંક્રાંતિ હોય ત્યારે વત્સ ઉત્તરમાં ઉગે છે. કન્યા, તુલા અને વૃશ્ચિક સંક્રાંતિ હોય ત્યારે વત્સ પૂર્વમાં ઉગે છે. તથા ધન, મકર અને કુંભ સંક્રાંતિ હોય ત્યારે વત્સ દક્ષિણમાં ઉગે છે. તે વત્સ પ્રયાણુ તથા પ્રવેશ સમયે સન્મુખ કે પાછળ સારો નથી એટલે ડાબે તથા જમણે પાસે હોય તે તે સારો છે. અન્ય વિધિ–ત્સવાળી દિશાના સાત ભાગ કરવા. તે સાત ભાગમાં અનુક્રમે વત્સ ૫, ૧૦, ૧૫, ૩૦, ૧૫, અને ૧૦, ૫ દિવસ રહે છે. તેમાંથી મધ્યના (થા ભાગના) ત્રીસ દિવસમાં વત્સ હોય ત્યારે તેની સન્મુખતા વર્યું છે. અર્થાત મધ્ય રાશિમાં વત્સ ઉદય પામે ત્યારે વર્ષે સમજ. શુક વિચાર-શુક્ર જે દિશામાં ઉગે છે તે દિશા સન્મુખ ગણાય છે. શુદ્ધ રમુખ તથા જમણે વજય કહ્યો છે. શુક્ર સન્મુખ-રેવતી નક્ષત્રથી કૃતિકાના એકપાદ સુધી શુક્ર સન્મુખને દોષ નથી. રાહુ વિચાર-રાહુ સૂર્યોદયથી આરંભીને દિવસે અને રાત્રે અર્થે અર્થે પહેરે નીચે આપેલ દિશા અને વિદિશામાં ક્રમથી ચાલે છે. પૂર્વ, વાયવ્ય, દક્ષિણ, ઈશાન, પશ્ચિમ, અગ્નિ, ઉત્તર અને નૈઋત્ય; તે રાહુ ગમન કરનારના પછવાડે અથવા ડાબી બાજુએ શુભકારક છે. રાહુનું વાર ગમન-રવિવારે મૈત્ય, સોમવારે ઉત્તર, મંગળવારે અગ્નિ, બુધવારે પશ્ચિમ, ગુરુવારે ઈશાન, શુક્રવારે દક્ષિણ અને શનિવારે પૂર્વમાં હોય છે. રાહુ ગમન કરનારની પછવાડે અથવા ડાબી બાજુએ શભ છે. દ્વાર ચક્ર-બારણાનું મુદ્દત-જે દિવસે ધાર ચક્ર જોવું હોય તે દિવસે સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર સુધી ગણતાં પહેલાં ૪ નક્ષેત્રે સારાં, પછી ૨ ખરાબ, પછી ૪ સારાં, પછી છે ખરાબ, ૪ સારાં, ૨ ખરાબ અને છેવટના ૪ નક્ષત્ર સારાં છે. બારણા માટે રાહુ-માગસર, પિષ, મહા મહિનામાં રાહુ પૂર્વમાં; ફાગણ, ચૈત્ર, વૈશાખમાં રાહુ દક્ષિણમાં; જેઠ, અષાડ, શ્રાવણમાં રાહુ પશ્ચિમમાં. અને ભાદર, આસો, કાર્તિકમાં રાહુ ઉત્તર દિશામાં રહે છે. રાહુ તથા વત્સ જે દિશામાં હોય તે દિશામાં બારણું મૂકવું નહિ. રાહુનું મુખ–રવિવાર અને ગુરૂવાર પૂર્વમાં મુખ; સેમ અને શુક્રવારે દક્ષિણમાં મુખ, મંગળવારે પશ્ચિમમાં મુખ; બુધ અને શનીવારે ઉત્તરમાં. રાહુનું મુખ જાણવું. પ્રયાણમાં શુભ તિથિ-૧-૨-૩-૫-૭-૧૦-૧૧ અને ૧૩. ૧-૪-૯-૮ તિથિ સિવાય. , શુભ નક્ષત્ર-પુષ્ય, અશ્વિની, મૃગશીર્ષ, રેવતી, હસ્ત, પુનર્વસુ, શ્રવણ, અનુરાધા, ધનિષ્ઠા. , મધ્ય નક્ષત્ર-રહિણી, ત્રણું ઉત્તરા, ત્રણ પૂર્વી, શતભિષા, જ્યેષ્ઠા અને મૂળ. શુભ વાર–સેમ, ગુરુ, શુક્ર અને બુધવારે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130