Book Title: Mahavir no Mangal Varso
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ભગવાન મહાવીરને મંગળ વાર [૨૮આનંદ અને સુખને ચાહનાર બીજાં નાનામેટાં પ્રાણુઓ હયએવી સ્થિતિમાં એમ કેમ કહી શકાય કે માણસમાં જ આત્મા છે, પશુપક્ષીમાં જ આત્મા છે અને બીજામાં નથી ? કીટ અને પતંગો તે સુખની શોધ પિતપિતાની ઢબે કરતા દેખાય જ છે, પણ સૂક્ષ્મતમ વાનસ્પતિક જીવસૃષ્ટિમાં પણ સંતતિ, જનન અને પિષણની પ્રક્રિયા અગમ્ય રીતે ચાલ્યા જ કરે છે.' ભગવાનની આ લીલ હતી, અને એ જ દલીલને આધારે તેમણે આખા વિશ્વમાં પિતાના જેવું જ ચેતનતત્વ ઊભરાતું, ઉલ્લાસનું જોયું. એને ધારણ કરનાર, નભાવનાર શરીરે અને ઇકિયેના આકાર-પ્રકારમાં ગમે તેટલું અંતર હેય, કાર્યશક્તિમાં પણ અંતર હેય, છતાં તાત્વિકરૂપે સર્વમાં વ્યાપેલ ચેતનતત્વ એક જ પ્રકારનું વિલસી રહ્યું છે. ભગવાનની આ જીવનદૃષ્ટિને આપણે આત્મૌપજ્યની દષ્ટિ કહીએ. જેવા આપણે તાવિકરૂપે તેવા જ નાનાંમોટાં સઘળાં પ્રાણુઓ. જે અન્ય પ્રાણીરૂપે છે તે પણ ક્યારેક વિકાસક્રમમાં માનવભૂમિ સ્પર્શે છે અને માનવભૂમિપ્રાપ્ત જીવ પણ અવક્રાંતિ ક્રમમાં ક્યારેક અન્ય પ્રાણીનું સ્વરૂપ લે છે. આવી ઉત્ક્રાંતિ અને અવક્રાંતિનું ચક્ર ચાલ્યા કરે, પણ તેથી મૂળ ચેતનતત્ત્વના સ્વરૂપમાં કશે જ ફેર પડતો નથી. જે ફેર પડે છે તે વ્યાવહારિક છે. ભગવાનની આત્મૌપજ્યની દૃષ્ટિમાં જીવનશુદ્ધિના પ્રશ્ન આવી જ જાય છે. અજ્ઞાત કાળથી ચેતનને પ્રકાશ ગમે તેટલો આવૃત થયે હેય-કંકાયેલું હોય, તેને આવિભૉવ ઓછો કે વો હૈય, છતાં શકિત તો એની પૂર્ણ વિકાસની–પૂર્ણ શાહિની છે જ. જે જીવતત્વમાં પૂર્ણ શુદ્ધિની શક્યતા ન હોય તે આધ્યાત્મિક સાધનાનો કોઈ અર્થ રહેતો જ નથી. જે જે દેશમાં સાચા આધ્યામિક અનુભવીએ થયા છે, તેમની પ્રતીતિ એક જ પ્રકારની છે કે ચેતનતત્વ મૂળે. શદ્ધ છે, વાસના અને લેપથી પૃથક્ છે. શુદ્ધ ચેતનતત્ત્વ ઉપર જે વાસના કે કર્મોની છાયા પડે છે તે તેનું મૂળ સ્વરૂપ નથી. મૂળસ્વરૂપ તે એથી જુદું જ છે. આ જીવનશુદ્ધિને સિદ્ધાંત . જેને આપણે આત્મૌપજ્યની દૃષ્ટિ કહી અને જેને જીવનશુદ્ધિની દૃષ્ટિ કહી તેમાં વેદાંતીઓને બ્રહ્માતવાદકે બીજા તેવા કેવળાદ્વૈત અને શુદ્ધાદ્વૈત જેવા વાદો સમાઈ જાય છે, ભલે તેને સાંપ્રદાયિક પરિભાષામાં જુદા જુદા અર્થ હેય. જે તાત્વિકરૂપે જીવનું સ્વરૂપ શુદ્ધ જ છે તો પછી આપણે એ સ્વરૂપ કળવવા અને મેળવવા શું કરવું એ સાધના વિષયક પ્રશ્ન ઊભો થાય છે. ભગવાન મહાવીરે એ પ્રશ્નને જવાબ આપતાં કહ્યું છે, કે જ્યાં લગી રહેણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7