Book Title: Karmgranth 1 to 5
Author(s): Veershekharvijay
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 237
________________ ૭૦ ] શતકનામને ૫ મે કર્મગ્રન્થ [ ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણી પ્રથમસ્થિતિમાં દલિકોની પ્રક્ષેપવિધિઃ ૧. ઉદયવતી:–ઉદયાવલિકા ૧ લા સમયે ઘણું, રજા સમયે વિશેષહીન એમ યાવત ઉદયાવલિકાના ચરમ સમય સુધી. ત્યાર પછી ઉદયાવલિકા ઉપર અસં. ગુ. એમ યાવત ગુણશ્રેણને છેડા સુધી. ત્યાર પછી વિશેષહીનના ક્રમે દલનિક્ષેપ થાય. ૨. અનુદયવતી –ઉદયાવલિકામાં પ્રક્ષેપ ન થાય. શેષ ઉદયવતી માફક. પુરષદ, સંજ્વલન ૪, ને આનુપૂવી સંક્રમ, લોભને અસંક્રમ, અને ૬ આવલિકા બાદ ઉદીરણ જે પૂર્વે કહ્યું હતું તે અહીં થતું નથી. તે સિવાયનું પૂર્વોક્ત પ્રમાણે. જે સંજ્વલદયથી ઉપશમશ્રેણી માંડી હોય, તેને ઉદય થાય ત્યારે અનન્તર સમયે તેની ગુણશ્રેણી શેષકર્મની ગુણશ્રેણીની સાથે તુલ્ય થાય છે. ક્ષપકશ્રેણીમાં ચડતા. સ્થિતિબંધ. શુભરસ. અશુભરસ અ૫. વધારે. અ૯૫. ઉપશમ , , ડબલ. અનંતગુણહીન. અનંતગુણ. છે પડતા. આ પ્રમાણે અનુક્રમે પડતા ૬ કે ગુણઠાણે આવીને ત્યાં વિશ્રામ કરીને ૬ અને ૭ મુ. ગુ. હજારે વખત પરાવર્તમાન કરીને પામે અને ૪થે ગુણઠાણે જાય. અને જેઓના મતે અનંતાનુબંધિની ઉપશમન થાય છે તેમના મતે કેઈક રજે ગુણઠાણે પણ જાય. ઔપથમિક સમ્યક્ત્વના કાળમાં વર્તમાન કાઈ કાળ કરે છે તે અવશ્ય દેવ થાય. અને સાસ્વાદનપણાને પામેલે પણ કાળ કરીને દેવ જ થાય. તેથી દેવાયુ: સિવાય બીજું આયુષ્ય બાંધ્યું હોય તે ઉપશમશ્રેણી ન માંડે. અને તેથી શ્રેણીથી પડતો કાળ કરીને દેવ જ થાય. એક ભવમાં બે વાર ઉપશમશ્રેણીને માંડે, અને તે જ ભવમાં ત્રીજીવાર ક્ષપકશ્રેણી ન માંડે. જે એકવાર ઉપશમશ્રેણી માંડી હોય તે તે ભવમાં ક્ષપકશ્રેણી પણ બીજી વાર માંડી શકે. આ કાર્મન્વિકના મતે, અને સિદ્ધાન્તના મતે તે એક ભવમાં એક જ શ્રેણીને માંડે. ક્ષપકશ્રેણું – વિસ્તારથી) દર્શનમેહનીય ક્ષપણું (ખંડક્ષપકશ્રેણી): પ્રસ્થાપક :–જિનકાલિક, પ્રથમ સંધયણવાળો, ૮ વર્ષની ઉપરને મનુષ્ય, શુભલેશ્યાવાળે, વધમાન પરિણામી. ૧ યથાપ્રવૃત્તકરણ ૨ અપૂર્વકરણ ૩ અનિવૃત્તિકરણ આ ત્રણે કરણ ક્રમથી યથાવિધિ પ્રમાણે કરે છે. વિશેષમાં અહીં અપૂર્વકરણના ૧ લા સમયે જ ગુણસંક્રમથી મિથ્યાત્વ અને મિશ્રના અનુદિત દલિકને સમ્યકત્વમાં નાખે છે. અને તે બનેના ઉદ્દવલના સંક્રમને પણ આરંભ કરે છે. તે આ પ્રમાણે –૧ લા સ્થિતિખંડને ઘણે ઘાતા કરે છે. તેથી બીજો વિશેષહીને એમ પૂર્વ પૂર્વ સ્થિતિખંડથી ઉત્તરોત્તર સ્થિતિખંડ વિશેષહીનર ઘાત કરે છે. એમ યાવત અપૂર્વકરણના ચરમસમય સુધી કરે છે. અને તેથી અપૂર્વકરણના પ્રથમ સમયે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250