Book Title: Jivswarup Paramno Vaigyanik Drushtibindu
Author(s): N M Kansara
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ડૉ. નામણુ મ. કેસાણ ge Truth)ને પારમાર્થિક દૃષ્ટિએ વિચારતા હતા, અને જ્યારે તેમણે વિવિધ દેવદેવતાઓનાં ઉપાસનાપરક સ્તાત્રે રચ્યાં ત્યારે તે વ્યાવહારિક સત્યની કક્ષાએ વિચારતા હતા. જ્યારે બુદ્ધ ભગવાને જીવના અસ્તિત્વ કે સ્વરૂપ અંગે કશી સ્પષ્ટતા ન કરતાં શૂન્ય કે નિર્વાણુને લગતા ઉપદેશ કર્યાં ત્યારે તે પરમ સત્યની પારમાર્થિક ભૂમિકાના ઉલ્લેખ કરતા હતા, અને તેથી જ તેમણે નિર્વાણુથી અવિદ્યા સુધીની જીવનબંધકારક કારણુા ખલાનું જીવનસાધનાની જીવાપકારક બુદ્ધિ, વ્યાવહારિક ભૂમિકાએ નિરૂપણ કર્યું. કપિલે સૂમ વિશ્લેષકની દૃષ્ટિ રાખીને પુરુષ-પ્રકૃતિના વિવેકજ્ઞાનને પાયામાં રાખીને વ્યાવહારિક ભૂમિકાએ જીવબહુત્ર, લિંગશરીર, જીવબંધકારક કારણેા વગેરેનું સ્પષ્ટીકરણ કર્યું. ગૌતમે બુદ્ધિપ્રવણુ મનુષ્યાને તાર્કિક પ્રતીતિ દ્વારા જીવધર્માંનું દર્શન કરાવવા તથા કણાદે સૃષ્ટિમાંના પંચમહાભૂતકાળ, દિશા અને મનથી આત્માને અલગ દર્શાવવા અનુભવમૂલક તાર્ક્ટિક દૃષ્ટિ રજૂ કરી અને પરમાણુકારણવાદને આશ્રય લીધેા. જૈન તી કરાએ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દ્દન, સમ્યક્ ચારિત્ર્ય એ ત્રિવિધ રત્નાની ઉત્તરોત્તર અધિક મૂલ્યવત્તા લક્ષમાં રાખીને, કના પાયાના સૂક્ષ્મ વૈશ્વિક કાયદાને કેન્દ્રમાં રાખી, અશુિશુદ્ધ વ્યાવહારિક દૃષ્ટિક્રાણુથી જીવના સ્વરૂપનું નિરૂપણુ કર્યું. હાવાથી તેમણે મનુષ્યના અસ્તિત્વના નીચેના બે સ્તરેાતે જ પ્રસ્તુત લેખ્યા, અને તમને લગતી રહસ્યમય હકીકતાને તેમણે પેાતાના ઉપદેશમાં નિરૂપી. મનુષ્યના અસ્તિત્વના ઉપર દર્શાવેલા સાત સ્તરામાંના દરેક પરસ્પર નીચેનામાં વ્યાપેલા રહે છે અને જીવાત્મા સ્થૂળ શરીરને ડી જાય ત્યારે બાકીના છ સ્તરો સહિત ઉચિત વૈશ્વિક લેાક તરફ પ્રયાણુ કરે છે અને પછી બીજા શરીરમાં ફરીથી જન્મ લેવા પ્રવેશે ત્યારે પણુ એ છ સ્તરે તેની સાથે જ રહે છે, છતાં અતીન્દ્રિય દૃષ્ટિને તેા ઍસ્કૂલ સુધીના બે કે ત્રણ સ્તર જ નજરે પડે છે તે હકીકતને વાસ્તવવાદી પ્રત્યક્ષપ્રિય તીકરાએ ખાસ લક્ષમાં રાખી છે. ખીજી બાજુ તેમણે જીવને પ્રદીપની સાથે સરખાવ્યા છે તેમાં તેા ઉપનિષદના ઋષિઓ સાથે તે એકમત ઢાવાનું દર્શાવે છે, અર્થાત્ જીવાત્માના શુદ્ધચૈતન્ય સ્વરૂપ અંગે એમને જાણકારી જ નહોતી એવું નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલા તીર્થંકરાને એ જ્ઞાન ન હેાય તે સંભવિત નથી. પરંતુ એ કક્ષાના જ્ઞાનને સામાન્ય મનુષ્યાને ઉપયાગી વાસ્તવાદી ઉપદેશમાં વણવાથી અનુયાયીએ માટે, વેદાન્તી કે બૌદ્ધ સાધુકાની જેમ, ભ્રમમાં અટવાવાની વધુ શકયતા છે, અને તેથી જીવાત્માની મેાક્ષ માટે, જરૂરી ક્રર્મક્ષય, તેના પરિણામે શુદ્ધ જ્ઞાન, તેના પરિણામે શુદ્ધ દ અને તેના દ્વારા મેક્ષ માટે ઉપકારક શુદ્ધ આચારની સાધનામાં વિક્ષેપ આવશે એવી અણિશુદ્ધ વ્યાવહારિક–વણિગ્ગુદ્ધિવાળી-દષ્ટિ રાખીને કિંચિત્ તપ:સિદ્ધિ કે અતીન્દ્રિય જ્ઞાત થતાં જ સાક્ષાત્ અનુભવની કક્ષામાં આવી પડે તેવા લિંગશરીરની ભૂમિકાથી જ જીવસ્વરૂપનુ નિરૂપણુ તેમણે કર્યું. અને તેથી જ તેમણે જીવને શરીરપરિમાણુ પ્રબાયે, તેથી જ તેમણે જીવના પુદ્ગલ-પરમાણુમય શરીર અને તેમાંની નીલ, કાપાત, તેજ, પદ્મ, શુકલ અને કૃષ્ણે લેસ્યા-તેજટા-કે આભામ`ડળ (Aura)ને લગતી હકીકતા નિર્દેશી. આધુનિક પરામનેાવિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે મનુષ્યના માનસિક ભાવામાં ફેરફાર થતાં જ તેના આભામંડળમાંના ર'ગામાં પણ પરિવર્તન આવે છે અને મનુષ્યના આધ્યાત્મિક વિકાસ થતાં તેના મનના સ્થાયી, ભાવપિંડનું આભામંડળ ઉત્તરાત્તર વધુ તેજસ્વી થવા લાગે છે, જૈન તીર્થકરાની લેશ્યાને લગતી વિચારણા આ દૃષ્ટિએ ખાસ સમજવા જેવી છે. આધુનિક પરામનેાવિજ્ઞાનનાં જ સંશાધનાને યુવાચાર્ય મહાપ્ર જૈન પરિભાષામાં વણીને રજૂ કર્યા છે,૩૫ તેનું રહસ્ય આ લેખમાંની સામગ્રીને આધારે સમજમાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8