________________
જિનતત્ત્વ
પોતે ક૨વાનું રહે છે અને નિદાન થયા પછી તેનો ઉપચાર પણ પોતે જ તરત કરવાનો રહે છે.
८
પોતાના જીવનમાં આવી જતી ત્રુટિ કે અશુદ્ધિની શોધ અને શુદ્ધિ માટે માણસ જો વિલંબ કરે તો જંગલમાં પોતાના બંને પગમાં વાગેલા કાંટાઓ તરત દૂર ન કરનાર શિકારી, જેમ સિંહના હુમલા વખતે દોડી ન શક્યો અને સિંહના શિકારનો ભોગ બન્યો તેના જેવી સ્થિતિ થાય. દોષરૂપી કાંટાના તત્કાલ શોધનની આવશ્યકતા ઉપર એટલા માટે જ શાસ્ત્રકારોએ ભાર મૂક્યો છે. રોગની જેમ દોષોની બાબતમાં પણ મનુષ્ય પ્રમાદી બની જાય છે. એટલા માટે જ પોતાના જીવનવ્યવહારનું પ્રતિક્ષણ અવલોકન કરવું અને દોષોનું તત્ક્ષણ શોધન કરવું એ ઉત્તમ પુરુષોનું લક્ષણ ગણાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org