Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 10
________________ એવું આપેલું છે. જે ક્રિયા અવશ્ય કરવા ગ્ય છે તેને આવશ્યક' કહે છે. આ “આવશ્યક ક્રિયા કરવાની જે વિધિ જૈન આગમ પરની ચૂણિઓ થઈ તે સમયથી પણ બહુ પ્રાચીન સમયની છે અને તેને ઉલેખ શ્રી હરિભદ્રસૂરિ જેવા પ્રતિષ્ઠિત આચાયે પિતાની આવશ્યક વૃત્તિ” (પૃ. ૭૯૦)માં અને લલિતવિસ્તરા નામની વૃત્તિમાં કર્યો છે. આ વિધિ ઘણે અંશે ફેરફાર વગર એવી ને એવી વેતામ્બર મૂર્તિ પૂજક સંપ્રદાયમ ચાલી આવી છે. આ “આવશ્યક ક્રિયાના છ ભાગ કરવામાં આવ્યા છે. ૧. સામાયિકઃ રાગ અને દ્વેષથી વશ ન થઈ સમભાવ – મધ્યસ્થ ભાવમાં રહેવું અર્થાત્ સર્વ સાથે આત્મતુલ્ય વ્યવહાર કરવો તે. (આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૦૩૨) સમભાવ એટલે શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સંમિશ્રણ. ૨. ચતુર્વિશતિ સ્તવઃ વીશ તીર્થકર કે જે સર્વગુણ સંપન્ન આદર્શ છે તેની સ્તુતિ. સમભાવને ઉપદેશનાર, સમભાવમાં રહેનાર એ મહાત્માઓ છે કે જેમણે પિતાના જીવનને સર્વોપરિ વિશુદ્ધ બનાવ્યું છે. તેમનાં ગુણગાન જીવનને વિશુદ્ધ બનાવે છે. ૩. વન્દનઃ વંદન એ મન, વચન અને શરીરને એ વ્યાપાર છે કે જે વડે પૂજ્ય પ્રત્યે બહુમાન પ્રકટ કરી શકાય છે. પૂજ્યગુણવાને-સદ્ગુરુઓનું બહુમાન - તેમને વિનય કર્યાથી નમ્રતા, ઉપદેશ પ્રાપ્ત થતાં આત્માને કમિક વિકાસ થાય છે. ૪. પ્રતિક્રમણ પ્રમાદને વશ થઈ શુભ યેગમાંથી પતિત થઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 142