Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 11
________________ નથી રહ્યું. વિનય-વિવેક અને વિક્રમ અહિંસા-સંયમ અને તપ આજ્ઞા-આદર અને આચાર સત્ય-સમાધાન અને સમાધિ શ્રધ્ધા-સ્નેહ અને સમર્પણ સિધ્ધાન્ત સમાચારિ અને સંસ્કૃતિ માત્ર ભાવના થઇને નથી રહ્યાં પણ જીવનમાં પુરા ઉતર્યા આમ જોતાં સાગરજી મ. એક અલૌકિક આધ્યાત્મિક વિભૂતિ હતી એવી અનુભૂતિ થયા વિના રહે નહિ... આ વિભૂતિ ૫૦ વર્ષ પહેલાં સમાધિના મહામાર્ગે પોતાના જીવનની સંપૂર્ણ સફળતાનો સાક્ષાત્કાર કરાવી ગઇ... શાસનને જ નહિ આર્ય-સંસ્કૃતિને પણ એક મહાસિધ્ધિ મળી શાસનના સાગરજી સુરતના સાગરજી-આગમના સાગરજીના નામે. જે આખા દેશમાં વિચરી... એમના જનમથી કપડવંજ જાજરમાન બન્યું... એમના વિચરણથી કેટલાય પ્રદેશો પૂજ્ય થયાં. એમના પદાર્પણથી પાલિતાણાની પાવનતામાં-પ્રસિધ્ધિમાં વેગ મળ્યો. એમના મહામૃત્યુથી સુરત એક સમાધિ તીર્થ બન્યું. આપ ચરણે હ્રદયના ભાવથી નાની-શી સ્તુતિ અંજલિ રૂપે મૂકી અમ સહુને કૃતાર્થ થયાનો ભાસ થયો... એક જ પ્રાર્થના આપશ્રી લખીને લખી આ મસ્તક ઢાળી. -હું આપનાં જેવો ન થાઉં તો કાંઇ નહિ. આપનો તો થાઉં -સાગરજી ન થાઉં તો કાંઇ નહિ સાગરજીનો તો થાઉં -આગમનો પારગામી ન થાઉં તો કાંઇ નહિ આગમનો પરિચયગામી તો થાઉં. આપની વર્ણન-યાત્રામાં ઘણા ડગ માંડી શકાય પણ વધુ લખવાનું મારૂં ગજુ નહિં-ભેજુ'ય નહિ. વંદના આપની સમસ્ત યાત્રાના ચરણને.. આ નાનો સો ગ્રંથ આપની યાત્રાને સમર્પણ... જે આપના કૃપા પ્રસાદને જ આભારી છે... “ઇતિ અપૂર્ણમ્' Hembrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 294