Book Title: Jamaini Pariksha Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 2
________________ જમાઈની પરીક્ષા - ૨૨૭ અનેક વાતો ધરાઈ ધરાઈને સમજાવવામાં આવે છે. પુત્રીને સાસરે વળાવતાં માતાનું કાળજું ફફડતું હોય છે, હૈયું ભરાઈ જાય છે, આંસુઓ પણ આંખમાં છલકાઈ જાય છે. જન્મથી અત્યાર સુધી ફૂલની કળીની પેઠે ઉછેરેલી પુત્રીને પારકા જણ્યાના હાથમાં સોપતાં ડર લાગે અને અનેક શંકાકુશંકાઓ ઘેરી વળે છે. છતાં તેમ કર્યા વિના ચાલતું નથી, એટલે છેવટ મન મારીનેય તેમ કરવું પડે છે. આ બ્રાહ્મણીને પોતાના જમાઈઓ કેવા પ્રકારની વૃત્તિવાળા છે : રિસાળ છે? ખુશામતને પસંદ કરનારા છે? ચીડિયા છે? પત્નીભક્તો છે? -એ શોધી કાઢવું હતું. એણે પોતાની પુત્રીઓને એમ સૂચના આપી કે તમે સાસરે જઈ પતિ સાથે પ્રથમ સમાગમ થતાં જ બીજું કશું કરતા પહેલાં તેને એક સજજડ પાટુ મારજો–પતિના માથા ઉપર તમારી પગની પાનીથી બરાબર પાટુ મારજો–અને એમ કર્યા પછી તે તમારી સાથે કેવું વર્તન રાખે છે, કેવા ભાવથી વર્તે છે તમારું અપમાન કરે છે યા આદર તે બધી હકીકત સવારે સવારે ઘરે આવીને મને જણાવી જજો. ગામમાં ને ગામમાં વિવાહ થયો હતો, એટલે આમ કરવું મુશ્કેલ ન હતું. માના મનને એમ કે જમાઈઓની ચિત્તવૃત્તિ જેવી હશે તેવી પ્રથમ પ્રસંગમાં જ જણાઈ આવશે અને એ ઉપરથી તેમના સમગ્ર જીવનધોરણનો ખ્યાલ આવી જશે. જોકે ઉપાય ભારે ઉઝ છે, પરંતુ આવો ઉગ્ર ઉપાય જ માણસની વૃત્તિને સમજવા માટે કારગત થઈ શકે છે. જયારે મનમાં ઉલ્લાસની છોળો ઊઠતી હોય, કુતૂહલો અનેક થતાં હોય, પ્રેમની લાગણી નવી નવી હોય અને પરિસ્થિતિ તદ્દન અજાણી હોય ત્યારે જ આવો ઉગ્ર ઉપાય કાંઈ સૂચક પરિણામ લાવનાર નીવડશે એમ માતા પોતાના જાત-અનુભવથી સમજતી હતી. એથી જોખમ ખેડીને પણ તેણે પોતાની પુત્રીઓને આ સાહસ કરવાનું સૂચન આપ્યું. સૌથી મોટી પુત્રીએ સવારે આવીને માતાને પોતાનો અનુભવ જણાવ્યો કે “હે માતા! મેં તારા કહેવા પ્રમાણે મારો પતિ આવતાં જ તેના માથામાં જોરથી એવી પાટુ મારી કે તે એક ગોથું ખાઈ ગયો. પણ પછી ઊભો થતાં જ તે હાથ જોડી મને વીનવવા લાગ્યો કે “હે દેવી! તને શું કોઈ દુઃખ પડ્યું? શું કોઈ અગવડ આવી ? યા તને એવી તે કેવી તકલીફ થઈ કે જેથી તારે આવતાં જ આવો ઉગ્ર ઉપાય લેવો પડ્યો?” “એ તો વીનવતો જાય ને મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5