Book Title: Jain Thoughts And Prayers English Gujarati
Author(s): Kanti V Mardia
Publisher: Yorkshire Jain Foundation
View full book text
________________
મૈત્રીભાવનું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ્ય રહે, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે.
દીન, ક્રૂર ને ધર્મવિહોણાં દેખી દિલમાં દર્દ વહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે.
85
For Private & crwonal Use Only www.yjf.org.uk
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની તો ય સમતા ચિત્ત ધરું, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે.
ચિત્રભાનુની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે, વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાવે.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
રચના: શ્રી ચિત્રભાનુ
86
For Private & Personal Use Only www.yjf.org.uk

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70