Book Title: Jain_Satyaprakash 1955 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા ‘આવશ્યક સૂત્ર'માં ચાલતી અશુદ્ધિઓ લેખક :–પૂજ્ય પં. શ્રીકલ્યાણવિજયજી ‘આવશ્યક સૂત્ર’‘ શબ્દથી અહીં શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર 'વિવક્ષિત છે. આ સૂત્રનુ અનેક સંસ્થાઓએ, પુસ્તક-પ્રકાશકાએ તથા વ્યક્તિઓએ પ્રકાશન કર્યું છે. એકલા ભીમસી માણેકે જ આની ૧૦ થી અધિક આવૃત્તિઓ કાઢી છે છતાં આની માગણી આજે પણ ઓછી નથી. આ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે પ્રતિક્રમણુસૂત્રના એક સારા સરકરણની આવશ્યકતા હતી અને છે. પ્રોાધ–ટીકા' સાથે પ્રકાશિત થયેલ ‘· પ્રતિક્રમણત્ર ' પહેલાનાં સંસ્કરણા કરતાં સારું કહી શકાય, છતાં સર્વાંશે ઉપયાગી તે નહિ જ. ગુજરાતી ટીકાકાર શ્રી. ધીરજલાલે આમાં પોતાના વિશાલ વાચન અને સર્વ મુખી પ્રતિભાના યથેચ્છ ઉપયાગ કર્યો છે, જેના પિરણામે ગ્રન્થનુ આ સૌંસ્કરણ સર્વભાગ્ય ન બનતાં અધ્યાપકા અને વિચારાના કામનું બની ગયું છે. પિરણામ એ આવશે કે, આની અધિક આવૃત્તિઓ નીકળવાના સંભવ આછે. રહેશે. અમેએ આ ટીકાનું માત્ર · ડેિરીપુલાક ન્યાયે ' અવલોકન કર્યુ છે, એટલે એની ખૂખીએ કે ખામીઓ વિષે લખવું તે સાહસ જ ગણાય; છતાં અન્યના મૂલનું અમોએ સપૂ વાચન કર્યું છે, તેથી એની સપાદનશૈલી અને સંશોધન વિષે કંઈક લખવુ પ્રાસ'ગિક ગણીએ છીએ. સૂત્રાનાં નવાં નામેા— સંપાદકે પ્રત્યેક સૂત્ર વા સત્રખંડને પોતાના કલ્પિત નામથી અલંકૃત કરેલ છે. પ્રાકૃતને પ્રાકૃત અને સસ્કૃતને સ'સ્કૃત નામ લગાડીને અન્તે સૂત્રનું પ્રચલિત નામ આપ્યું છે. આનું કારણ ‘એકવાકયતા ’ જાળવવારૂપ જણાવ્યું છે, જે અમારી માન્યતાનુસાર નિરાધાર છે. ગતિક્રમણ–સત્રા, સત્રખંડા કે તદુ પયેગી જે વસ્તુએ નિયત છે; તે પ્રત્યેક પેાતાના નામ સાથે જ નિયત છે, એ વિષયમાં ટીકાકાર, સંપાદક કે સંશોધકને નિરાધાર નવાં નામેા લગાડવાનું સાહસ કરવાની કશી આવશ્યકતા ન હતી, જો સત્રગત વસ્તુજક શબ્દ લખવાની જ તેમનીઈચ્છા હતી તો ટિપ્પણમાં વાટીકામાં તે કાઈ શબ્દ લખીને પૂરી કરી શકાતી હતી, પણ પ્રત્યેક સૂત્ર અને સૂત્રખંડના ગળામાં પ્રાકૃત અને સસ્કૃત નામેાની બધે નવી ધટડીઓ વળગાડવાના સંપાદકને કંઇ જ અધિકાર ન હતા. · સાત લાખ, અઢાર પાપસ્થાનક’ જેવા લાકભાષામય આલોચનાપાને પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનાં નવાં નામેા કેટલાં બધાં વિચિત્ર લાગે છે? આમાં કેવા પ્રકારની એકવાકયતા છે તે અમે સમજી શકતા નથી. r * તસ્સ ઉત્તરીકરણેણ', ' ‘અન્નત્થણસસિએણું' જેવા સૂત્રખડા કે જે વાસ્તવમાં • ઇરિયાવહયા'ના જ અંશે છે, તેને નવાં નામે લગાડીને એક પ્રકારની તેએમાં વિકૃતિજ ઉત્પન્ન કરી છે. વળી, કેટલાંક નવાં નામે તો મૂળ વસ્તુને જ ઢાંકનારાં અને જૈન શૈલીને બાધક થાય તેવાં છે. અન્ત:શીર્ષકો અને અન્તવ ચા— કેટલાંક સ્થળામાં સપાદકે ‘ અન્તઃશીર્ષકા ’ અને વિધિગત પ્રતિવચના ' સૂત્રોમાં દાખલ , ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28