Book Title: Jain_Satyaprakash 1955 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧] કૂતરે ને સંન્યાસી
[ ૧૯ અપવિત્ર થયા. એમણે માર માર્યો. પણ સ્થાન બિરાદર! એક વાત પૂછવાની બાકી રહી. તને સંન્યાસીએ ડંડા માર્યા એ વખતે તારા સ્વભાવ પ્રમાણે તને ક્રોધ ચઢવો જોઈતો હતો. તે વારુ ! તું તેમને કરો કેમ નહિ ?” રાજા રામે પ્રશ્ન કર્યો.
કૃત બોલ્યો “સ્વામી! એક ક્ષણ એ વિચાર આવી ગયો, પણ મેં મનને માર્યું –અલ્યા, પરભવ તે ક્રોધ કર્યો હશે, લેભ કર્યો હશે ને બીજા પાપ આચર્યો હશે, એટલે આ ભવે કૂતરો સર જાણે, ભૂંડા ! તારે રહેવા ઘર નથી. ટાઢ, તડકે કે વરસાદ, બધામાં રસ્તા પર પડી રહી, હડહડ થતાં જે બટકું રોટલો મળે તે ખાવાનો. એમાં આ ભવે તું ક્રોધ કરે, ધારે તે એક વાર સંન્યાસીને જીવ પણ લઈ લે, પણ એથી તને શું હાંસલ થશે ? તારે પરભવ બગડ્યો છે ને આ ભવ પણ બગડશે. એટલે મહારાજ ! મેં ક્રોધને કાબૂમાં રાખે, ને આપની પાસે ન્યાય માગવા આવ્યા.”
તે હવે તમે બંનેને ન્યાય નક્કી થઈ ગયો. સંન્યાસી ! તમને કારણ મળ્યું ને તમે ક્રોધ કર્યો. કૂતરાને કારણ મળ્યા છતાં એણે ક્રોધ ન કર્યો. બીજું ગંદા જળથી જેટલે માણસ અપવિત્ર થાય છે, તેટલે જ બલકે વધુ ગંદા વિચારોથી અપવિત્ર થાય છે, એટલે તમે ભલે દેખીતી રીતે કૂતરાને ઉડાડેલા છાંટાથી અપવિત્ર બન્યા પણ તમારે દેહ તે હલકા વિચારેથી
અપવિત્ર બન્યો જ હતો. જ્યારે કૂતરાનો દેહ ભલે ગંદા હોય, પણ એના અંતરમાં ઉત્તમ વિચારરૂપી પવિત્રતા ભરેલી જ છે એટલે એ પવિત્ર જે હતે. વળી, તમારે ધર્મ ક્ષમા કરવાને હતો, તે ધર્મ તમે ભૂલ્યા. કૂતરાને ધર્મ કરવાનો હતો, તે તેણે છોડ્યો. એટલે એક રીતે કહીએ તો મુનિને ધર્મ કૂતરાએ અદા કર્યો. કૂતરાને ધર્મ તમે અદા કર્યો. પાળે તેને ધર્મ, ગા વાળે તે ગવાળ. એટલે સંન્યાસી : રામરાજ્ય તમને ગુનેગાર લેખે છે.'
રાજા રામને ન્યાય સાંભળી સીતાજી, લક્ષ્મણ વગેરે આશ્ચર્યમાં પડી ગયાં. રાજા રામે છેલ્લે છેલ્લે કહ્યું: “સંન્યાસીજી! જટા રાખવાથી, ભગવાં પહેરવાથી, માળા ફેરવવાથી સંન્યાસી નથી થવાતું. મને મારા નહિ; દેધ, લેભને ઓછાં કરે નહિ. ત્યાં સુધી મુનપણું મળતું નથી ! માટે સાચા મુનિ બને ! સાચે મુનિ તે ચાંડાલ, બ્રાહ્મણ ને શ્વાન ત્રણેમાં સમાન વૃત્તિવાળા હાય.”
[ લેખકની ‘હિંદુધર્મની પ્રાણીકથાઓ ’માંથી ]
| અનુસંધાન પૃ8 ૨૨ થી ચાલુ છે ૧૬ વિશ્વભૂતિ
રાજગૃહ
મનુષ્ય ૧૭ મહાશુક ઉ. સ્થિતિ [ક. સુ ] ૧૮ ત્રિપુચ્છવાસુદેવ ૮૪ લાખપૂર્વ
પિતનપુરી
મનુષ્ય ૧૯ અપ્રતિષ્ઠાન ૩ ૩ સાગરેપુભ [ ક.
નારક (૭-નારકી) ૨૦ સિંહ ૨૧ (૪થી) નારકી
નારક ૨૨ મનુષ્ય
મનુષ્ય ૨૩ પ્રિય મિત્ર ચક્રવતી ૮૪ લાખપૂર્વ ૨૪ મહાશુક્ર ૨૫ નંદન રાજપુત્ર ૨૫ લાખપૂર્વ
છત્રિકા નગરી
મનુષ્ય ૨૬ પ્રાણત ૨૦ સાગરોપમ [ ક. સુ.) ૦
સંકેત સમજણ – ૧૦ જાણવામાં નથી. ( કે. સુ.] “ કલ્પસૂત્ર સુબોધિકા માં આવા સ્થાને આયુષ્યનો નિર્દેશ કર્યો છે
તિર્યંચ
મૂકાનગરી
દેવ
For Private And Personal Use Only