Book Title: Jain_Satyaprakash 1952 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૭] પચીસ-કુસુમાંજલિ મહાકાવ્ય | [ ૧૪૧ ૧૨- ફલટીકન કુસુમાંજલિ ૨૪-વિજ્ઞપ્તિ કુસુમાંજલિ ૧૩-અગુરુ ૨૫–ધ્યાન - દરેક કુસુમાંજલિ જુદા જુદા છન્દમાં અને યમકબદ્ધ છે. યમકબદ્ધ આવું કાવ્ય સંસ્કૃત સાહિત્યમાં આ એક જ છે એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી અને એ સત્ય એ કાવ્યના વાચકને વાંચવા માત્રથી પ્રતીત થાય છે. યમકાલંકારને આ કાવ્યમાં જુદી જુદી રીતે એવા રમાડવામાં આવ્યું છે કે તે અલંકાર એ તો મસ્ત બની ગયું છે કે જાણે હવે તેને બીજા કોઈની પડી નથી. જાણે એ કહેતો ન હોય કે જ્યાં સુધી આ કાવ્ય વિદ્યમાન છે ત્યાં સુધી મારી હસ્તિને કોઈ ટાળી શકે એમ નથી. યમક એ શબ્દપ્રધાન અલંકાર છે. યમકનો અર્થ જોડલું થાય છે. યમકાલંકારનું સ્વરૂપ “કાવ્યાનુશાસનના પાંચમા અધ્યાયમાં આ પ્રમાણે છે "सत्यर्थेऽन्यार्थानां वर्गानां श्रुतिक्रमैक्ये यमकम् । -- જુદા અર્થવાળા વણના સરખા શ્રવણું અને ક્રમે સાર્થક હેય તે યમ,અલંકાર છે. તે યમક એલ કાર પાદને આશ્રયીને બને છે અને પાદના ભાગને આશ્રયીને પણ બને છે. પાદની આવૃત્તિથી થતા યમકના ૧૧ ભેદ છે. તેનાં જુદાં જુદાં નામ આ પ્રમાણે છે: ૧. મુખયમક ૧-૨ પાદ સરખાં હેય ૨. સંદંશયમક-- ૩. આવૃત્તિમક ૧-૪ » ૪. ગર્ભયમક ૨-૩ ક છે ? ૫. સંદષ્ટકમક૬. પુછ્યમક ૩-૪ પાદ સરખાં હોય. છે. પંક્તિયમક ૧-૨-૩-૪ , ૮. પરિત્તિયમક૯. યુગ્મકયમક - ૧-૨-૩-૪ , ૧૦. સમુદ્રકયમક પ્રથમાર્ધ સમાન ઉત્તરાર્ધ હોય. ૧૧. મહાયમક લોકની આવૃત્તિ હોય. પાદ ભાગ યમકાના ભેદે તો અર્વાણુત થાય છે. આ કુસુમાંજલિકાવ્યમાં ઉપરોકત ચમકના ઘણા ભેદ જોવા મળે છે, શબ્દ ઉપર અદ્વિતીય પ્રભુત્વ જામ્યું હોય ત્યારે જ આવી ચમકબદ્ધ રચના થઈ શકે છે. આવા ચમકે જવાથી અર્થ કિલષ્ટતા થાય તે સ્વાભાવિક છે; છતાં આ કુસુમાંજલિકાવ્યમાં એવા સુન્દર અર્થભાવો ગુંથાયા છે કે જ્યારે તેનું અદ્દઘાટન થાય છે ત્યારે ચિત્ત નાચી ઊઠે છે. ' શબ્દ પ્રવાહ તે સુમધુર નિરના જલસમે એકસરખે વહે છે. પૂજાનાં સૂકતમાં તે સુન્દર ભાવવાહી અથી ભર્યા છેજેમાં શબ્દાલંકાર કરતાં અર્થાલંકારની મુખ્યતા જાળવી છે અને તેથી તે તે સૂકત એટલા બાસા દક બન્યાં છે કે વ્યસંન્ન માણસ વાંચવા માત્રથી યાદ કરી લે એમ છે. તે કાવ્યના કેટલાક નમૂનાઓ દર્શાવીને આ પરિચય પૂર્ણ કરીશં-- नालीकं यन्मुखस्याप्युपमितिमल न कापि वार्तान्तराले, नालीकं येन किञ्चित् प्रवचः दितं शिष्यपर्षत्समक्षम् । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28