Book Title: Jain_Satyaprakash 1948 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ ] શિલ્યસિદ્ધ કwાસની કથાની આલોચના ઘાલી દેતો અને એ બધું એ પાછું બહાર કાઢ. (૩) ત્રીજો શો રચનાર હતા. રાજાને બાજે, ત્રીજે કે ચોથે કામે (જયારે જાગવું હોય ત્યારે) જાગી શકે તેવી કે ઊભા કરવું હેય તો તે પ્રકારની (એ કયા રચેતે). અને (૪) એથે ભંડારી હતો. એ એવો ભંડાર બતાવો કે જેની અંદર ગયા પછી કંઈ દેખાય નહિ. આમ આ ચારના ગુણે હતા. (એક વેળા ) જિતશત્રુ રાજાએ પેલા (ન રાજા) ના નગરને ઘાલ્યો. એ જૈન (રાએ) વિચાર્યું: મનુષ્યો મરાવવાથી મને શું લાભ? (એમ વિચારી) એણે ભજનનું પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) કર્યું, એટલે કે ભોજન ન લેવાનો નિયમ લીધે. એ મરને સ્વર્ગે ગયો. નગરજનેએ એ નગર જિતશત્રુને આપી દીધું. એણે પેલા ચાર સેવાને લાવી પૂછ્યું: તમે શું કામ કરે છે (અર્થાત તમારી પાસે કઈ કઈ કળા છે?). રઈઆએ (પિતાને જે આવડતું હતું તે) કહ્યું. ભંડારીએ રાજાને ભંડારમાં દાખલ કર્યો, પણ એણે કંઈ દીઠું નહિ (એટલે) બીજા કારથી (પ્રવેશ કરાવી ભંડાર) બતાવ્યો. શયાપાલે (પિતાની કળા) કહી. તેલ ચેળનારે (બંને પગે તેલ ચળા) એક પગમાંથી બધું તેલ બહાર કાવ્યું, પણ બીજામાંથી કાઢ્યું નહિ અને મારા જેવો બીજે કઈ ચાલાક હોય તો કાઢે એમ કહ્યું. ચાર જણે આગળ ઉપર) દીક્ષા લીધી. પેલે જિતશત્રુ રાજા તેલ વડે દાઝ અને એ કાળો પડી ગયું. એનું (એથી) “કાકવણ' (કાકવણું, કામડાના રંગનો ) એવું નામ પડવું. પહેલાં એનું નામ “જિતશત્રુ' હતું તે હવે ‘કાકવણ' થયું. આ તરફ સોપારકમાં દુકાળ પડ. કક્કાસ ઉજજયિની ગયો. રાજાને પોતે આવ્યો છે તેની જાણ કરવા એણે (કાંત્રિક) કબૂતર દ્વારા રાજના ગંધણાલિ (એક જાતના સુગંધી ચોખા) હરવા માંડયા. કોઠારીઓએ (રાજાને ) કહ્યું. તપાસ કરતાં કાકાસ નજરે પડ્યો. એને (રાજા પાસે) લાવવામાં આવ્યું. રાજાએ એને ઓળખ્યો અને એના ભરણપોષણની વ્યવસ્થા કરી. કેકાણે રાજાના કહેવાથી) ગરુડ (યંત્ર) બનાવ્યું. રાજા રાણી અને આ કાકાસ સાથે (ગગનમાં) વિહરવા લાગ્યા. જે કોઈ રાજા એને નમતે નહિ તેને એ કહેતો કે હું આકાશમાંથી આવીને તમને મારીશ. (બીકના માર્યા) બધા (રાજાઓ) વશ થયા કાકવર્ણની રાણીને બીજી રાણીઓ એ (ગરુડયંત્રમાં) જતી ત્યારે પૂછતી (કે અમને બેસાડશે) (રાણીએ દાદ ન દીધી એટલે) એકે આ ગરુડ (યંત્ર) જતું હતું ત્યારે એની પાછા ફરવાની એક ખીલી લઈ લીધી.૧૦ કરુડ (યંત્ર) ગ૭ (ક). પાછા ફરવાને - ૯ આચારમદીપ (પત્ર ૩૩ આ)માં કહ્યું છે કે કેકાણે લાકડાનાં સેંકડે પ્રૌઢ કબૂત બનાવી રાજાના કોઠારમાં તે જાતની ખીલી વગેરેના પ્રયાગવડે મોકલવા માંડ્યાં. તે પણ જાણે જીવતાં હોય તેમ તે જ ક્ષણે ત્યાં જઈ પિતાની ચચવડે કણે ચણ પિતાનું ઉદર ભરી પાછાં આવતા. એ કણો વડે-ચેખાના દાણવડે કોકાસ પિતાના કુટુંબને નિર્વાહ કરતો. ૧૦ આચારપ્રદીપ (પત્ર ૪૦ અ)માં ખરી ખીલીને બદલે બીજી એના જેવી બનાવરાવી એ ગોઠવી દેવાઈ એવી હકીકત છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28