Book Title: Jain_Satyaprakash 1948 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર-પ્રબોધ પ્રોજક-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદ્રસૂરિજી (ગતાંકથી ચાલુ) પાક પ્રશ્ન–શ્રી ભગવતી સૂત્રનાં શતક, ચુર્ણિ વગેરેનું પ્રમાણ શું? ઉત્તર–૧ સર્વાનુયોગમય પંચમાંગ શ્રી ભગવતી સૂત્રમાં ૪૧ શતક છે. બીજા ગ્રંથોના અમુક ભાગનું નામ જેમ અધ્યયન, પ્રકાશ, સગ, પ્રતિપત્તિ વગેરે જણાવ્યું છે તેમ અહીં આ સૂત્રના ૪૧ શતક એટલે વિભાગ ગણવા. તે દરેકમાં અમુક પ્રમાણમાં જુદી જુદી જાતના પ્રશ્નો વગેરે બીના જણાવી છે. ૨ મૂલ સૂત્રનું પ્રમાણ ૧૫૭૫૨ શ્લોક છે. ૩ ચૂર્ણિ ૩૧૧૪ શ્લોકપ્રમાણ છે. ૪ અવચૂરિની નકલ, પાટણના ભંડારમાં છે. તેનું પ્રમાણ જ નથી. ૫ ટીકા બે છે, એક બા અભયદેવસૂરિ મહારાજે બનાવેલી, તેનું પ્રમાણ ૧૮૬૧૬ એક છે. પાટણમાં વિ. સં. ૧૧૨૮ મી ટીકા બનાવી છે. બીજી શ્રીદાનશેખરસૂરિ મહારાજે લઘુ ટીકા, અંદાજ ૯૦૦૦ લેકપ્રમાણુ, બનાવી છે. બંને ટીકા શ્રી આગમાદય સમિતિ વગેરે તરફથી છપાઈ છે. જુદા જુદા પ્રસંગે ચારે અનુયાગની બીના જણાવેલી હોવાથી આ ભગવતી સૂત્ર સર્વાનુયોગમય કહેવાય છે. પ૭ ૫૮ પ્રશ્ન–શ્રજ્ઞાતાધર્મક યાંગ વગેરે ૬ અંગસનાં મૂલસૂત્ર વગેરેનું પ્રમાણુ શું? ઉત્તર– શ્રજ્ઞાતાધર્મ કયાંગના મૂલ સૂત્રનું પ્રમાણ ૫૪૦૦ લેક છે. તેની ઉપર શ્રી અભયદેવસૂરિ મહારાજે વિ. સં. ૧૧૨૦ માં ૩.૦૦ શ્લેકપ્રમાણ ટીકા બનાવી છે. ૭ શ્રી ઉપાશક દશાંગસૂત્ર-ભૂત સૂત્રનું પ્રમાણ ૮૧૨ કે, ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ. ૮ શ્રી અંતકુદશગિસૂત્ર -મૂળ સુત્રનું પ્રમાણ ૮૯૯, ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ, ૯ શ્રી અનુત્તરપ પાતક દશાંશ-મૂલ ક્ષેક ૧૯૨, ટીકાકાર શ્રી અભયદેવસૂર મહારાજ શ્રી ઉપાસકદશ ગાદિ ત્રણ સૂત્રોની ટીકાનું પ્રમાણ ૧૩૦૦ ક. ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણુસૂત્ર–મૂલ સુત્રનું પ્રમાણ ૧૨૫૬ કઆ સૂત્રની ૪૬૦૦ શ્લોકપ્રમાણે ટીકા શ્રી અભયદેવસૂરિ મહારાજે બનાવી છે. ૧૧ શ્રી વિપાકસૂત્ર–મય સૂત્રનું પ્રમાણ ૧૨૧૬ શ્લોક, આ સૂત્રની ૯૦૦ પ્રમાણ ટીકા શ્રી અભયદેવસૂરિ મહારાજે બનાવી છે. આ રીતે શ્રી આચારાંગાદિ મૂલ સૂત્રોનું પ્રમાણ ૩૫૩૩૯ શ્વેક, અને અગી રે અંગની ટીકાઓનું પ્રમાણ ૭૪૭૯૦ કલેક જણાવ્યા છે. એમ બંદિપનકામાં કહ્યું છે.૫૮ ૫૯ પ્રશ્ન–શ્રી ઔપપાતિકાદિ ૧૨ ઉપાંગોના મલ સુત્રાદિનું પ્રમાણ શું? ઉત્તર–૧. પપાતિક સૂત્ર-મૂલ ૧૧૭ શ્લેક, શ્રી અભયદેવસૂરિજીની ૩૧૨૫ શ્લોકપ્રમાણુ ટીકા. ૨ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર–મૂલ પ્રમાણુ ૨૦૦૯ ને ૨૧૨૦ ક. શ્રી અલયગિરિ મહારાજે બનાવેલી ૩૭૦૦ શ્લોકપ્રમાણુ ટીકા. ૩ શ્રીજીવભિગમસૂત્ર-આ સુત્રની ઉપર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે નાની ટીકા બનાવી હતી, તે છપાઈ નથી. તેના આધારે જ શ્રીમલયગિરિ મહારાજે ટીકા બનાવી છે, જેમ “ ર મૂઢીવાર” ઇત્યાદિ વચનથી જણાય છે. ૧૫૦૦ પ્રમાણે ચૂર્ણિને આધારે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૧૯૨ લેપ્રમાણુ ટીકા બનાવી, ને તેના આધારે શ્રી મલયગિરિ મહારાજે ટીકા બનાવી છે. તેનું પ્રમાણ ૧૪૦૦૦ શ્લેક છે. આ શ્રી જીવામગમ નામના ત્રીજા ઉપગના મૂલ સત્રનું પ્રમાણ ૪૭૦૦ શ્લોક છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે બનાવેલી મૂલ ટીકાનું બીજુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28