Book Title: Jain_Satyaprakash 1947 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્યપ્રકાશ
[વર્ષ ૧૩ શૃંગારમંડન, સારવતમંડન જેવા અનેક પ્રશે, તથા તેના બંધુ ધનદે રચેલાં શંગાર, નીતિ, વિરાગ્ય શતકે મળે છે.
વિક્રમની બારમી સદીથી લઈ ૫ સદીના અંત સુધીમાં ૮ ઈંચથી, ૩૬ ઈંચ સુધીની લંબાઈવાળાં તાપ પર લખેલાં પુસ્તકે અમે પાટણ જૈન ભાડારમાં કેટલોગ (૧ વા ભાગમાં (ગા. પ્રા. ઝં. નં. ૭ માં દર્શાવ્યાં છે. કાગળ પર લખેલાં પુસ્તક સં. ૧૩૫૭-૫૮થી મળી આવે છે. સં. ૧૪ ૮માં ખાદીના મજબૂત કાપડ પર લખાયેલું ધર્મવિધિવૃત્તિનું ૭૦ પાનાનું પુસ્તક ખાસ ધ્યાન ખેંચે છે. તેની લંબાઈ ૨૫ ઈંચ, અને પહોળાઈ ૫ ઈંચ છે. પાટણમાં સંઘને ભંડાર હવે નવીન તૈયાર થયેલા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
વિક્રમની ૧૪મી સદીમાં રથપાયેલા સેમિતિલકસૂરિના ગ્રંથભંડારને તેમના અનુયાયીઓએ પાછળથી સમૃદ્ધ કર્યો હતો. વિક્રમની પંદરમી સદીમાં થઈ ગયેલા તપાગચ્છાધિપતિ દેવસંદરસૂરિએ અને તેમના અનુયાયી સામસુંદરસૂરિ વગેરેએ સેંકડો પુસ્તકો લખાવીને પાટણના જ્ઞાન–શમાં ૨થાપન કર્યા હતાં-એવા ઉલ્લેખો મળે છે.
જ્ઞાનારાધનના આ ઉપયોગી કર્તવ્યમાં ગુજરાતની વિવિધ જ્ઞાતિની જેને મહિલાઓને -શ્રમણોને અને શ્રાવિકાને મોટે ફાળો છે. ૨૦ જેટલી મહિલાઓનાં નામો અમે ત્યાં દર્શાવ્યા છે, જેમણે પિતાના અને સ્વજનાદિના શ્રેય માટે હજારો શ્લોકવાળાં પુસ્ત લખાવી પાન, પઠન, બે ખાનાદિ સદુપયોગ માટે ગુરુઓને તયાં મહારા, પ્રવર્તિની આદિને સમર્પણ કર્યા હતા; તથા જ્ઞાન ભંડારોમાં પણ ભેટ કર્યા હતાં. ક્ષત્રિય ઝાલા કુલના વિજયપાલની રાણું નીતા દેવીનું નામ તેમાં સ્મરણ કરી યોગ્ય છે, જેણીએ વિદ્યાકુમાર મુનિના સદુપદેશથી હેમચ દ્રાચાર્યના ગશાસને લખાવ્યું હતું,
પાડ ણ, જેલમેર જેવા અને ક રથાનમાં જ્ઞાનભંડારો સ્થપાવનાર, ખરતરગચ્છના અવિપતિ રાજમાન્ય જિનભદ્રસૂરિના સદુપદેશથ, ખંભાતના શ્રીમાન ધરણુશાહે પંદરમી સદીના ઉત્તરાધ માં લ -વેલાં ૫૦ જેટલાં પુ તકે જેસલમેર કિલ્લાના મોટા ભંડારમાં વિદ્યમાન છે. જેસલમેરના એનાશાહે કલ્પસૂત્રનાં પુસ્તકોને સેનાને અક્ષરે લખાવ્યાં હતાં. તથા થી શાહ જેવા અનેક સંગ્રહસ્થાએ જેનાગમ-પુસ્તકે લખાવ્યાં હતાં.
શહેનશાહ અકમ્બરે પોતાના વિનિપાત્ર ૫. પદ્મસંદર પાસેથી પ્રાપ્ત કરેલ વિશાલ પુસ્તક-સંગ્રહ જે.ચાર્ય શ્રી હીરવિજયસૂરિને અત્યાગ્રહથી બહુ સન્માન પૂર્વક ભેટ કર્યો હતો. પાતશાહ અકમ્બરના પમીતિપાત્ર અને ૨૩ વર્ષો સુધી સહવાસમાં રહી અનેક સત્કાર્યો કરાવનાર મહેપાધ્યાય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્રની મહત્વની અનેક કૃતિઓ આપણને પ્રાચીન જ્ઞાન–ભંડારોમાંથી મળી આવે છે. પાટણના જ્ઞાન-ભંડારામાંના કેટલાંય પુસ્તક મુંબઈમાં તથા પૂનાના ભાંડારકર એ. રિચર્સ ઇન્સ્ટિટયુટ વગેરે સ્થલે ગયાં છે.
ગૂજરાતમાં વડોદરા રાજ્યનું મહત્તા છે કે તેને આંગણે પાટણના ૧૬ પ્રાચીન જ્ઞાનભંડારો ઉપરાંત વડેદરા, છાણી, ડભાઈ જેવા સ્થળોમાં જૈન જ્ઞાન-મંદિરોમાં અને રાજકીય પ્રાચ્યવિદ્યામંદિરમાં હજારોની સંખ્યામાં હસ્તલિખિત પુસ્તકોને ઉપયોગી સંગ્રહ સુરક્ષિત છે. તેનાં વર્ણનાત્મક સાચો પ્રકટ થતાં વિશેષ મહત્ત્વ જણાશે. આશા રાખીએ કે તેમના અલભ્ય દુર્લભ મહત્વના પંથેની કેપી પાર, અને પ્રશંસનીય પહતિથી તેનું સંશોધન, પ્રકાશન થઈ ને પન-પાઠનાદિ સદુપયોગ થાય
(બરોડા રહિયાના સૌજન્યથી )
For Private And Personal Use Only