Book Title: Jain_Satyaprakash 1945 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧છે. ભાષ્યકાર તો કહે છે કે ચારિત્ર વિનાનું જ્ઞાન સર્વથા નિષ્ફળ જ છે એટલું જ નહીં, પણ પઠન, ગુણન, ચિંતનાદિ કલેશફલવાળું છે. જેમ ગધેડાને ચંદનનો ભાર નિષ્ફલ વહન કરવાથી કલેશ થાય છે તેમ ચારિત્રરહિત જ્ઞાનીનું સમજવું. ક્રિયારહિત શાસ્ત્રજ્ઞાન કેવું છે તે માટે ખુદ નિયુકિતકાર પણ કહે છેઃ "जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । . एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सोग्गइए ॥" જેમ ચંદનને ભાર વહન કરનાર ગધેડે, તેના ભારને ભાગીદાર છે, કિન્તુ ચંદનની સુવાસનો ભાગી ભાતા નથી, તેમ ચારિત્ર રહિત એવો જ્ઞાની માત્ર જ્ઞાનને ભાગી છેજ્ઞાનસંપાદન કાર્યના કષ્ટને ભાગી છે, પરંતુ સદ્દગતિ– સિદ્ધિ ગતિને ભાગી નથી થઈ શકતો. આ જ વસ્તુનું વિશેષ સમર્થન કરે છે– ના જાશા, દલા ત્રાળ કિયા” ક્રિયા વિનાનું જ્ઞાન નિષ્ફલ છે, અને જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફલ છે. संजोगसिद्धीय फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समेच्चा, ते संपउत्ता नगरं पविठ्ठा ॥ ભાવાર્થ – જ્ઞાન -ક્રિયાને સંગ હેય તો જ શ્રી તીર્થકર ભગવંતોએ મોક્ષફલ કહ્યું છે. લેકમાં પણ જોઈએ છીએ કે એક પિડાથી રથ નથી ચાલી શકતો, તેમજ બળતાં વનમાં આંધળો ને પાંભળો એ ભેગા થવાથી પોતાના ઈષ્ટ સ્થાનમાં-નગરમાં પહોંચી શક્યા. જ્ઞાન-ક્રિયાદિની મહત્તા જૂઓ नाणं पयासयं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिण्हं पि समाओगे, मोक्खो जिणसासणे भणिओ ॥ જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે, અને સંયમ ગુપ્તિ કરનાર છે. એ ત્રણેનો યોગ હેય તો જ જિનશાસનમાં મોક્ષ કહેલ છે.” ક્રિયા-સંયમ વિનાના જ્ઞાનને, ભલે તે પ્રકાશક હોય છતાં યે. સાથે અને કારોદિ વિશેષણ આપ્યું છે, માટે શાસ્ત્રજ્ઞાન પણ સંયમ-શુદ્ધ ક્રિયાપૂર્વકનું જ સફલ છે. એટલા જ માટે મેક્ષમાર્ગ દર્શાવતાં વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ કહે છે “રસથવનશાનચરિત્રાદિ મોક્ષના ” શનશિયાખ્યાં મોક્ષ નો પણ આજ અર્થ છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ કહે છે – . શિયાવિતિં દૂત શાનમાત્રાનર્થાત્ ” ક્રિયારહિત જ્ઞાન અનર્થ-અસફલ છે-મોક્ષ ફલદાયક નથી. કેવો જીવ પોતે તરે અને બીજાને તારે તે માટે ઉપાધ્યાયજી કહે છે ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः । स्वयं तो! भवाम्भोधेः परांस्तारयितुं क्षमः ॥ સજ્ઞાની, યિામાં વપર. શાંતસ્વભાવી. ઉપરમાદિ વડે જેણે પોતાનો આત્મા ભાવિત કર્યો છે, તે ઈદ્રિય વિજયી એવો આત્મ પિતે સંસારસમુદ્રથી તરે છે, અને બીજા ને સંસાર સમુદ્રને પાર પમાડવા સમર્થ થાય છે. હજી આગળ વાંચો – स्वानुकुलां कियां काले ज्ञानपूर्णोप्यपेक्षते । प्रदीपः स्वप्रकाशोपि तैलपूादिकं यथा ॥ જેમ દીપક સ્વતઃ પ્રકાશક છે છતાં તેમાં તેલ પૂરવું, વાટ ઠીક કરવી વગેરે ક્રિયાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36