Book Title: Jain_Satyaprakash 1945 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] પિસ્તાળીશ આગમ લખાવનારા બે ભાઈઓની પ્રશસ્તિ ૧૨૩ નામો રાજા અને મંત્રીઓના સમકાલીન ઉલ્લેખ તેમજ સામાજિક અનેક ભોગોલિક માહિતી આપતી અનેકવિધ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે.
આવા ગ્રંથ લખનારા કેવળ ધંધાદારી લહિયાઓ જ નહતા, પણ મેટા આચાર્યો, પ્રવૃત્તિશીલ મંત્રીઓ અને ધનાઢય. ગૃહસ્થ પણ આ જ્ઞાનભક્તિ નિમિત્તે એકથી અનેક કૃતિઓ પોતાના હાથે લખતા એ તે તે ગ્રંથની અંતે આપેલા નામનિર્દેશથી જાણી શકાય છે, મહામંત્રી વસ્તુપાલે પણ પિતાના હાથે લખેલી ધાચુર વાચની તાડપત્રીય પ્રતિ ખંભાતના ભંડારમાં હાલ પણ મોજૂદ છે. પણ જેઓ પિતાના હાથે લખી શક્તા નહિ. તેઓ પૈસા આપી લહિયાઓ પાસે લખાવી પિતાની જ્ઞાનપાસનાની જ્યોતિને પ્રદીપ્ત રાખતા.
જૈનાચાર્યો આવા ગ્રંથલેખનના વિસ્તાર, વિવિધતા, અને સંરક્ષણ માટે રાત દિવસ ચિંતનશીલ રહેતા, એની પ્રતીતિ આપણને ગ્રંથભંડારાના અનેક ગ્રંથોમાં પાને પાને જડી આવે છે. ગ્રંથોમાં પ્રસંગને અનુસરીને આલેખાયેલી ચિત્રકલા, લિપિનું વૈવિધ્ય, સુશોભન, લેખનની વિવિધ પદ્ધતિ, લિપિની આસપાસની ફૂલે કે પ્રાણીચિત્રની સજાવટ, અને વિવિધ રંગોની મિલાવટ તેમજ ફાટેલી કે ઉધેઈને ભોગ બનેલી પ્રતિઓને પ્રથમ દૃષ્ટિએ તે જાણી ન શકાય તેવી સાંધવાની કળા વગેરેને જોઈને એ જ્ઞાનસંપન્ન વિભૂતિઓ અને એના સંરક્ષક સાધકની એકનિષ્ટ ભક્તિની પ્રતીતિ થયા વિના રહેતી નથી.
અમદાવાદના ડેલાના ભંડારમાં કામ કરતાં મને જેનોની લેખનકળાની વિવિધતાનો પરિચય થયો અને ગ્રંથ લખાવનારાઓની કેટલીક પ્રશસ્તિઓ પણ હસ્તગત થતી જાય છે. તેમાંની બે પ્રશસ્તિઓને પરિચય મૂળ સાથે અહીં અપાય છે, જેમાં ગ્રંથ લખાવનારાઓના કુટુંબીઓ અને તેના પૂર્વજની વંશાવલી ગદ્ય-પદ્યમાં આપી છે. આ શ્રેષ્ઠીઓએ જેનાં સમગ્ર આગમ લખાવ્યાં હતાં, જેમાંના શ્રી આચારાંગ સૂત્ર–મૂલ, શ્રી સૂત્રકૃતાંગસૂત્ર-સર્ણિ શ્નો અંતકૃદશા સૂત્ર-મૂળ, છો ઔપપાતિકસૂત્ર-મૂળ, શ્રી જમ્બુદ્વીપપ્રાપ્તિ-મૂળ, શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ–વૃતિ, શ્રી ચંદ્રપ્રાપ્તિ-મૂળ, શ્રી સૂર્યપ્રતિવૃતિ, શ્રી નિશીથસૂત્ર–ભાષ્ય શ્રી સૂર્યપ્રાપ્તિ-મૂળ, શ્રી પંચકચૂર્ણિ, શ્રી આવશ્યકનિયંતિ વગેરે વગેરે ગ્રંથો આજે પણ ઉપર્યુક્ત ભંડારમાં સુરક્ષિત છે અને એ બધાની અંતે આ પ્રશસ્તિઓ મૂકવામાં આવી છે. આ શ્રેષ્ઠીઓએ બીજ ધર્મકૃત્ય કર્યા છે તેની પણ આમાં નેધ છે. બન્ને પ્રશસ્તિઓ નીચે પ્રમાણે છે –
[ 3 ] सं. १५६८ वर्षे शाके १४३४ प्रवर्तमाने कार्तिक शुदी प्रतिपदा रवी श्रीश्रीमाતીય-સાદુ ઘર-કુ. ચા. -. વાહ@raો-હુ રફતા-. ર૪માનવ-સુ. ના -આ નોહી-પુ. સા. કૂવા-મેઘા-ભાષg-gar | ફૂડ. મહિપતિ-પ-કથા---હિલા સાદુ મદિર-મંથgrg. વાલ્લીમ-વતા . #g-મા વી-પુ. ના-મોના-કેરા-ઘણો . ર૩થાभार्यामल्हाई-सुत तेजपाल-कर्मसी । पांचा-सु. घुसा-भा. पोदी-सु. बर्द्धमानपासाप्रमुखकुटुम्बयुतेन साह मेघाकेन
For Private And Personal Use Only