Book Title: Jain_Satyaprakash 1945 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક છે ] સંપ્રતિમહારાજે આચરિત અહિંસાવ્રત [ ૧૨૯ વળા (૪) માં વપરાયલ ‘પૂર્વે' (મૂળમાં લખેલ પુ), - આ શબ્દોમાં રહેલ અર્થ તથા તે સમયે () , “લખાવતી વેળા’ (મૂળમાં એક ચા-ચિંહિતા તt) પ્રવર્તી રહેલ પરિ સ્થિતિ પણું ધ્યાન- (૪) , ‘પણ હવે' (મૂળ પરે વિ...ાછા ) માં રાખવાની છે. સમજૂતિઃ–આ પ્રમાણે તેમણે ત્રણ સમયે પ્રવર્તી રહેલ સ્થિતિની રજુઆત કરી છે. એક “ પૂર્વે'=સંપ્રતિ ગાદીએ બેઠે તે પૂર્વે, બીજી લખાવતી વેળા એટલે ગાદીએ બેઠા પછી બારમે વર્ષે અને ત્રીજી હવેથી એટલે તે પછીનીઃ ઉપરાંત એક બીજી પરિસ્થિતિ એ વિચારવી રહે છે કે, રાજા પિતે પોતાની અંગતની સ્થિતિ ન જણાવતાં આખા રાજરસોડાની જ વાત ) કરે છે. અને એ તે સ્વાભાવિક છે કે, ત્યાં નેકર ચાકર જેવા કે અન્ય સગાંવહાલાં જેમના ઉપર તે કાબુ ધરાવી શકે અથવા હુકમ પણ ફરમાવી શકે તેવી વ્યક્તિઓ પણ જમતી હેય, અને માબાપ કે વડીલ વર્ગ જેવા પણ કેટલાયે હેય કે જેના ઉપર હુકમ કરી ન જ શકે પણ વિનવણીથી કે સ્વદષ્ટાંતને લયબિંદુ ઠરાવરાવીને કામ લેવાનું ઉચિત ધારી શકે. આ પ્રમાણે શબ્દોના અર્થ અને સમયે સમયે રાજરસોડે પ્રવર્તી રહેલ પરિસ્થિતિ તે બન્ને વસ્તુ જે ધ્યાનમાં રાખીશું તે, લેખમાં રજુ કરેલી સમ્રાટની મને દશા અને જૈન ગ્રંથમાં વર્ણવેલી તેના જીવનની હકીકત અસંગત નહીં લાગે, કેમકે પોતે ગાદીએ બેઠે તે પૂર્વે, મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત અને બિંદુસાર જેનધર્માવલંબી હેવા છતાં તેમના સમયે ક્ષત્રિયોમાં ભેજન માટે જીવહિંસા ન કરવાનું માહામ્ય રાજરડે સમજાયું નહોતું. અધુરામાં પૂરું, સમ્રાટ બિંદુસાર પછી, અને પિતાની પૂર્વે સમ્રાટ અશોક તે બૌદ્ધધર્મી હતું અને તે ધર્મમાં જૈનધર્મ જેટલું જીવહિંસા (પ્રાણુરક્ષા) ને મહત્વ અપાયું ન હોવાથી, તેના રાજ્યકાળે તો ભોજન માટે થતી જીવહિંસા (પ્રાણુની કલ) માં ઓર વૃદ્ધિ થઈ ગઈ હોય તે ખુલ્લું છે. તેથી જ તુરત ગાદીએ બેસતાં અથવા ત્રીજે વરસે પિતાને જાતિસ્મરણ જ્ઞાન થતાં ને ગુરુ મહારાજના ઉપદેશથી જ્ઞાનચક્ષુ ઉઘડતાં, મહારાજ પ્રિયદર્શીનના દયાળુ હૃદયમાં જે અરેરાટી ઉપજ છે તે તેણે “પૂર્વ' શબ્દ લખીને વર્ણવી બતાવી છે. તે બાદ તેમાં ધીમે ધીમે (વંદિતા સૂત્રકથિત વવંધછવિ છેપ...ગામિ મ મંfમ ઘ--અતિચારનું આપણને આથી ભાન થાય છે) નોકર ચાકર ઉપર રાજાશાથી તેમજ વડીલ વર્ગને વિનવણી અને સભ્યતા પૂર્વક સમજૂતિ આપીને કે સ્વદષ્ટાંતથી સુધારો કરાવીને બારમા વર્ષે જ્યારે શિલાલેખ કેતરાવ્યો ત્યારે, તે હજારો ને લાખ છો (પ્રાણીઓ)ની થતી કલમાંથી કેવળ ત્રણની સંખ્યા ઉપર લાવી શકે છે. આટલું ગનીમત તે લેખવું જ રહે છે. છતાં પિતાનું મન (૨) આ પ્રમાણેને અર્થ તે આપણે કર્યો છે. પરંતુ તે જ હોઈ શકે કે કેમ તે શંકા છે. કેમક, જે ભાષામાં શાસન લખાયું છે તેના વ્યાકરણનું આપણને જ્ઞાન નથી. જેમકે બીજી પંક્તિમાં સેવાપિતા છે જ્યારે અહીં (છ)માં કવિતા છે. આ બે વચ્ચે શું તફાવત કહેવાય તેમજ (ઇ)માં મગ ચઢા=આજે જયારે લખાયું છે. તે ઉપરાંત તી શબ્દ વપરાવાથી શું ફેરફાર થઈ જાય, તે તે વ્યાકરણભિન્ન જ કહી શકે છે. એટલે આપણે કરેલ અર્થ શંકારહિત ન ગણાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28