Book Title: Jain_Satyaprakash 1944 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે વ લી શ્રી ષે શુ [૧] રાજસભા. આજે રાજા નામાંકદેવની સભામાં અનેક વિદ્વાને પંડિત અને કલાકેવિદોની ભીડ જામી હતી. તેમજ દેશદેશના રાજાઓ, રાજકુમારે અને સામન્ત પણ આવ્યા હતા. રાજકુમારી શૃંગારસુંદરી, રાંજમાતા મદનાવલી અને આખું અંતઃપુર પણ આવ્યું હતું. આજે સભામાં એક પંડિતજી આવ્યા હતા. એમને પોતાના પાંડિત્યનો ગર્વ હતું. દેશદેશના રાજાઓની રાજસભામાં જઈ વિજયપત્ર મેળવીને એ આવ્યા હતા. આ ભૂતલમાં મને કઈ જીતી શકે એમ નથી એવું એ માનતા હતા. તેઓ શાસ્ત્રોમાં નિષ્ણુત, કલામાં પારંગત અને વ્યાખ્યાનમાં વાચસ્પતિસમાં હતા. એમણે સરસ્વતીની અખંડ ઉપાસના કરી હતી એટલે એ પિતાને સરસ્વતીના લાડલા પુત્ર મનાવતા. નામાંકદેવની સભામાં પંડિતજીએ આહ્વાન કર્યું-હું દીપક રાગ ગાઉં, દીવા પ્રગટાવું અને એને કઈક બુઝાવી દે તે ખરે. આ આહ્વાન સાંભળી આખી સભા ચમકી ઊઠી. પંડિતજીએ રાગ આલાપ શરૂ કર્યો. ચારે તરફ રખાવેલી દીવડીઓમાંના દીપક એક પછી એક પ્રગટતા જતા હતા. બધા પંડિતજીની સામે જોઈ રહ્યા હતા. એ પ્રગટ થયેલા દીવા હવે સભાજનોને બાળવા લાગ્યા. કેઈએ કહ્યું-પંડિત હવે બસ કરે, બસ કરે. આ દીવા તે પ્રગટયા, વધુ રહેશે તો દિવાળીને બદલ હેળા પ્રગટશે. હવે સભાજનોને બદલે પંડિતજીની પરીક્ષા હતી. આ દીવાઓ કમ શાન્ત કરવા. પંડિતજી બળું બળું થઈ રહ્યા હતા. સમાજને આકુળવ્યાકુળ હતા. પંડિતજીએ એક છેલ્લી દષ્ટિ સભાજન તરફ નાંખી અને નાસવા માંડયું, નાસતાં નાસતાં તેમને ખેસ દોવાની પોતે આયો અને ભડકે થયો. પંડિતજી મૂચ્છી ખાઈ નીચે પડ્યા છે. ત્યાં તે સભામાં એક સુંદર તેજસ્વી સ્ત્રી આવી. એની આંખમાં ચંદનશી શીતલતા હતી, એને લલાટ અર્ધચંદ્ર સમ શોભી રહ્યું હતું, એની શુભ્રાંતિ અનુપમ હતી. એણે મીઠા મેહક નાદે ગાવાનું શરૂ કર્યું. જાણે કઈ સ્વરકિન્નરી ભૂલથી ભૂલેકમાં આવી ચઢી હોય એવું એ મેહક કર્ણપ્રિય ગાન હતુ. દીપકે બુઝવા લાગ્યા; પંડિતજીની આગ બુઝાઈ અને ચેતરફ મીઠી ઠંડક ફેલાઈ ગઈ. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. બધાને થયું આ કોણ છે ? રાજાએ એને સિહાસન પરથી ઊભા થઈ પિતાની પાસે લાવી ખેાળામાં બેસાડી અને કહ્યું બેટા શૃંગારસુંદરી ! તું તે અદ્દભુત સંગીત જાણે છે ! તે રાજસભાની આબરુ વધારી; એ તે ઠીક, પરંતુ એ પંડિતજીને પણ જાન બસા. લે આ ઇનામ એમ કહી રાજાએ પિતાને રત્નને કઠો રાજકુમારીને પહેરાવ્યા. આખી સભાએ રાજાનો, રાજકુમારીને જયનાદ પિકાર્યો. રાજા નાભાંકદેવે પિતાની દિવાનજીને કહ્યું; આવતી કાલે રાજકુમારીના લગ્નને નિશ્ચય કરી નાંખીએ. [ ૨] રાજકુમારીને નિશ્ચય 'રાજાતા મદનાવલીએ પિતાની કુંવરીનું પરાક્રમ જોયું, એનું જ્ઞાન, એને વિનય, અને એનું ગાંભીર્ય જોઈ એને થયું-આને લાયક રાજકુમાર કેશુ છે લાવ, એને જ પૂછી ઊંટ એમ વિચારી મદનાવલી રાજકુમારીના ભવનમાં ગઈ. ત્યાં ખબર મળ્યા કે રાજકુમારી નહાઈ ધંઈ વીતરાગદેવની પૂજા કરવા ગયાં છે. એટલે રાજમાતા મદનાવલી ત્યાં થાભ્યાં. થોડીવારે જ્યારે રાજકુમારી પૂજા કરી પાછી આવી ત્યારે રાજમાતાએ તેની સાથે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20