Book Title: Jain_Satyaprakash 1944 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ] શોધખોળની આવશ્યક્તા
[ ૧૩ પ્રકારના માનવીને લગતા સિદ્ધાંતને મળતો આવતો નથી. પણ જૈન સાહિત્યમાંના “અર ને લગતા સિદ્ધાંતને વધારે મળતો આવે છે. એ અંગે ખુહલર સાહેબને અભિપ્રાય અને વધુ ચર્ચા (પૃ. ૧૧૮-૧૧૯).
અશોકે જણાવેલા નિરો? તે બેશક મહાવીરસ્વામીના અનુયાયીઓ-જૈન પંથના સભ્ય તરીકે ઓળખાતા નિર્ગથે હેવા જોઈએ. એ પછી આછવકે સંબંધી ચર્ચા પૃ. ૧૫૬).
બાકીના સૌને કર્મવાદને મેહ લાગ્યા હતા, અને તેથી એવા સી એમ કહેતા કે માત્ર કર્મથી જ વ્યક્તિને મેક્ષ થાય છે. વિ. (પૃ. ૧૬૦).
બૌધપંથની અને જેનપંથની સતત વધતી જતી અસરને લઈને ફલાહારની દિશામાં સૌનું વલણ સતત વધતું જતું હતું.(પૃ. ૧૬૪).
બૌદ્ધ ગ્રંથની હકીકતમાં પૂર્ણ વિશ્વાસ રાખવાનું અધ્યાપક હાઈસ ડેવિડઝ આપણને કહે છે; પણ નિદાન અશોકની બાબતમાં તો તે ગ્રંથમાંની હકીક્તને ઘણો ખરો ભાગ લગભગ અવિશ્વસનીય છે. (પૃ. ૨૦૭).
અશોકના સંબંધમાં આપણે જોયું છે કે, પોતાની ધમ-પષણના પરિણામમાં તેણે જેનપંથથી સહજ રંગાએલા બૌદ્ધપંથને સ્વીકાર કર્યો હતો. “ઘર” શબ્દ બૌદ્ધ પારિભાષાને “’ શબ્દની અને જેન લેકેની પ્રાકૃત ભાષાના “ોર' શબ્દની વચ્ચેને શબ્દ છે. (પૃ. ૨૯૯).
ઉપરના ટાંચણ પરથી જોઈ શકાશે કે અશોક બૌદ્ધધર્મી જ હતાઃ એમ ચોક્કસ કહી શકાય તેમ નથી. મૌર્યવંશનો સ્થાપક ચંદ્રગુપ્ત જૈનધર્મો હતો, એ વાત સ્પષ્ટ છે અને હવે ઘણુંખરા શોધકે એ કબૂલ રાખી છે. આ બધી વાત વિચારતાં એ સમજાય તેવું છે કે શિલાલેખેમાં કહેવામાં આવેલી બાબતે કેવળ બૌદ્ધધર્મને લગતી નથી જ.
મરાઠી ભાષામાં મહાવીરચરિત્રની એક બુક પ્રગટ થઈ છે એમાં કથન છે કે
અશોક સમ્રાટના ધર્મ સંબંધમાં બે મત છે. શરૂઆતમાં તે જૈન હતો એ બદલ શંકા નથી. ૨૯ વર્ષ રાજય કર્યા પછી તે બૈદ્ધ થયે. ડે. કર્નલ સાહેબે અશોકના શિલાલેખ ઉપરથી તે જૈન હવે જોઈએ એ નિષ્કર્ષ કહાડ્યો છે.”
આપણું છે. ત્રિભુવનદાસ લહેરચંદે ઘણો પરિશ્રમ સેવી એ શિલાલે અશોકના નહીં પણ સમ્રાટ સંપ્રતિના છે એવી શોધ કરી છે. કે તેઓની આ વાત સ શોધકોએ કબૂલ રાખી નથી. છતાં “પ્રિયદર્શી' તરીકે ઉલ્લેખાયેલ રાજવી અશક છે કે સંપ્રતિ એ શોધવાની જિજ્ઞાસા તે જરૂર પ્રગટાવી છે. એ દિશામાં એમનો પ્રયાસ ચાલુ જ છેતેમના મંતવ્યમાં ભૂલે સંભવિત છે છતાં આ માટે એક કરતાં વધુ અભ્યાસીઓએ પ્રયાસ ચાલુ રાખવા જોઈએ. આ અંગે તેથી જ હું એક સારા ફંડવાળું સંશોધનખાતું ઊભું કરવાની જરૂર દર્શાવું છું. સાધ્વી તરંગવતી કે સમ્રાટ ખારવેલ એ જૈન સાહિત્યના અમૂલ્ય રત્ન હતાં. એ શોધ કરવાનું માન જૈનેતરના ફાળે જાય છે આપણું માટે એ શરમાવનાર પ્રસંગ લેખાય. લંબાણ ન કરતાં પુનઃ આ દિશામાં એક સદ્ધર સંસ્થા ઊભી - કરી શોધખોળના શ્રીગણેશ કરવાની સમાજના સુત્રધારેને આગ્રહભરી વિનંતી છે. આજના યુગની એ સાચી આવશ્યકતા છે. એ દ્વારા ઘણું ગેરસમજુતીઓ દૂર કરી શકાશે.
For Private And Personal Use Only